ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

આખરે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની ઉમેદવારી બેઠક થઈ ફાઈનલ

Text To Speech

ચૂંટણી જાહેર થઈ તે પહેલાથીઆમ આદમી પાર્ટીના ઉમેદવારોના નામની જાહેરાત થઈ રહી હતી. આ વચ્ચે આજે સૌથી મહત્વના એવા આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તેને લઈને સવાલો હતા. ત્યારે અરવિંદ કેજરીવાલે આજે ટ્વીટ કરીને ગોપાલ ઈટાલિયા તથા મનોજ સોરઠિયા ક્યાંથી ચૂંટણી લડશે તેની જાહેરાત કરી દીધી છે.

આપના સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું છે કે, રાજનીતિમાં યુવાઓની ભાગીદારી જરૂરી છે. ગુજરાતમાં આપણા પ્રદેશ અધ્યક્ષ અને લોકપ્રિય યુવા ગોપાલ ઈટાલિયાને સુરતની કતારગામ વિધાનસભા અને મહામંત્રી મનોજ સોરઠિયાને કરંજ વિધાનસભાથી ગુજરાતની ચૂંટણી લડાવશે. બંને યુવાઓને શુભકામનાઓ આપું છું.

પાસ નેતા આપમાં જોડાયા Hum Dekhenege Nerws

આ પહેલાં ગોપાલ ઈટાલિયાના ચૂંટણી ક્યાંથી લડશે તે મુદ્દે ઘણાં સવાલો ચાલી રહ્યા હતા. જોકે હવે સુરતની ચાર બેઠકો (કરંજ,ઓલપાડ,વરાછા અને કતારગામ) પર યુવા નેતાઓના નામ જાહેર થતાં ભાજપ માટે મુશ્કેલી ઊભી થાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત સ્થાનિક મતદારો પર ચારેય નેતાનું પ્રભુત્વ છે તેની પર પણ નજર રહેશે.

આપમાં વિરોધનો સૂર

આ સાથે જ આપમાં પણ વિરોધના વંટોળ ઊભા થવાની સંભાવના જોવામાં આવી રહી છે. જેમાં આપ દ્વારા કતારગામ બેઠક પરથી અગાઉ રાજુ દિયોરાનું નામ ચાલી રહ્યું હતું. ત્યારે મનોજ સોરઠિયાનું નામે સૌ કોઈને ચોંકાવી દીધા છે. આ પહેલાં અલ્પેશ કથીરિયાને પણ વરાછા અને ધાર્મિક માલવિયાને ઓલપાડ બેઠક પરથી પાર્ટીમાં સામેલ થયા બાદ તરત જ ટિકિટ ફાળવવામાં આવતા ઘણાં જૂના આપ નેતાઓમાં વિવાદ બહાર આવી રહ્યો છે.

આ પણ વાંચો : કોણ છે આપ નેતા જેના મોર્ફ વીડિયો થઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં વાઈરલ?

Back to top button