ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલહેલ્થ

મનસુખ માંડવિયાના કેજરીવાલ પર પ્રહાર, દિલ્હીવાસીઓને માસ્ક પહેરવાની અપીલ

Text To Speech

દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું  છે. દિલ્હીના જુદા-જુદા વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ ‘ગંભીર’ શ્રેણીમાં 400 જેટલો નોંધાઈ રહ્યો છે. જેને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આડે હાથ લીધા છે. સાથે જ ડો. મનસુખ માંડવિયાએ લોકોને માસ્ક પહેરવાની પણ અપીલ કરી છે.

દિલ્હીમાં હવા પ્રદૂષણને લઈને ભાજપનો કટાક્ષ

સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને કહ્યું, દિલ્હીની જનતાને આગ્રહ છે કે માસ્ક પહેરે અને હવા પ્રદૂષણથી પોતાની રક્ષા કરે, કારણ કે કેજરીવાલ ગુજરાત-હિમાચલમાં મફતની રેવડી સાથે જોડાયેલા વચનો આપવામાં અને દિલ્હીની જનતાના ટેક્સના કરોડો રૂપિયાની જાહેરાતો આપવામાં વ્યસ્ત છે.

બાળકો-વૃદ્ધોને બહાર ન નીકળવા અપીલ

મનસુખ માંડવિયાએ એઈમ્સના પૂર્વ નિર્દેશક ડો. રણદીપ ગુલેરિયાના એક નિવેદનની રિટ્વીટ કરતા આ વાત કહી હતી. ડો. રણદીપ ગુલેરિયાએ પોતાના ટ્વીટમાં બાળકો, વૃદ્ધો અને જેમના ફેફસા અને હૃદય નબળું હોય તેમની પ્રદૂષણવાળી જગ્યાએ ન જવા માટે સૂચન આપ્યું હતું.

દિલ્હી AQI 400ને પાર

હાલમાં દિલ્હી-NCRમાં હવાનું પ્રદૂષણ એક મોટી સમસ્યા બન્યું છે. દિલ્હીમાં ધુમાડાના કારણે શુક્રવારે સતત બીજા દિવસે એર ક્વોલિટી ઈન્ડેક્સ ગંભીર કેટેગરીમાં નોંધાયો હતો. હવા પ્રદૂષણ અનુકૂળ મોસમ રહેવાથી અને પંજાબમાં પરાળી સળગાવવાના કારણે AQI 447 નોંધાયો હતો.

Back to top button