T-20 વર્લ્ડ કપટોપ ન્યૂઝસ્પોર્ટસ

T20 WC : નેધરલેન્ડ સામે SA ની હાર, ભારતનો સેમીફાઈનલમાં પ્રવેશ

Text To Speech

T20 વર્લ્ડકપમાં આજે રવિવારે મોટો અપસેટ સર્જાયો છે. નેધરલેન્ડ અને સાઉથ આફ્રિકા સામેની મેચમાં SA નો કારમો પરાજય થતા તે વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. તેની સાથે જ ભારત હવે સેમી ફાઈનલમાં પ્રવેશી ગઈ છે. ઉપરાંત પાકિસ્તાનની પણ સેમી ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત બની ગઈ છે.

સેમી ફાઈનલ માટે ચોથી ટિમ કઈ હશે ?

ઓસ્ટ્રેલિયા દ્વારા આયોજિત T20 વર્લ્ડ કપ 2022માં રવિવારે મોટી ઉથલપાથલ જોવા મળી હતી. એડિલેડમાં રમાયેલી રોમાંચક મેચમાં નબળી નેધરલેન્ડની ટીમે દક્ષિણ આફ્રિકાને 13 રને હરાવ્યું હતું. આ પરિણામ સાથે ભારતીય ટીમ સેમિફાઈનલમાં પહોંચનારી ત્રીજી ટીમ બની ગઈ છે. હવે ગ્રુપ 2 માંથી સેમીફાઈનલમાં પહોંચનારી ચોથી ટીમ કોણ હશે? તેનો નિર્ણય પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ બાદ થોડા સમય બાદ સામે આવી જશે. આ મેચમાં જે પણ ટીમ જીતશે તે સેમિફાઇનલમાં પહોંચશે. એટલે કે દક્ષિણ આફ્રિકાની હાર સાથે ગ્રુપ-2નું સમગ્ર સમીકરણ બદલાઈ ગયું છે.

Back to top button