લાઈફસ્ટાઈલહેલ્થ

જાણો શું છે મોર્નિંગ વોકના ફાયદા અને કઈ બીમારીનો છે રામબાણ ઈલાજ ?

Text To Speech

સવારે ચાલવું એક સૌથી સારી કસરત છે. ઘણા હેલ્થ એક્સપર્ટ રોજ 5000 કદમ જેટલું ચાલવાની સલાહ આપે છે. જે લોકો સ્વાસ્થ્ય માટે જાગ્રત છે તે લોકો મોર્નીગ વોક પર જવાનું પસંદ કરે છે. પરંતુ વ્યસ્ત જીવન વચ્ચે ઘણા લોકો ચાલવા જવાનું ટાળતા હોય છે. સમયના અભાવે ચાલીને જવાને બદલે બેક કે કરનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ સારા સ્વાસ્થ્ય માટે રોજ સવારે 20 થી 30 મિનીટ માટે મોર્નીગ કરવું જરૂરી છે. સવારે ચાલવાના ઘણા ફાયદા છે.

ફેફસાની સ્ટેમિના વઘે

જો તમે દરરોજ અડધો કલાક મોર્નિંગ વોક કરો છો, તો તેનાથી ફેફસાંની ક્ષમતા વધે છે અને પછી તમે વધુને વધુ ઓક્સિજન લેવાનું શરૂ કરો છો. આ પ્રકારના શ્વાસોચ્છ્વાસ સાથે, તમારી સહનશક્તિ નોંધપાત્ર રીતે વધે છે, જેના પછી તમે ઘણા મુશ્કેલ કાર્યો, જેમ કે સીડી ચડવું, ઝડપથી દોડવું, ભારે વર્કઆઉટ કરવું વગેરે કરવામાં પરેશાન અનુભવતા નથી.

જાણો શું છે મોર્નિંગ વોકના ફાયદા અને કઈ બીમારીનો છે રામબાણ ઈલાજ ? - humdekhengenews

 વજન ઘટાડવામાં પણ મદદરૂપ

હાલના સમયમાં મોટા ભાગના લોકો મોટાપાથી પરેશાન છે. જેનું કારણ છે કે આજના સમયમાં લોકોની ફીજીકલ એક્ટીવીટી ઘટી ગઈ છે. જેથી પેટ અને કમર પર જમા થયેલ ચરબીને ઘટાડવી મુશ્કેલ થઈ ગઈ છે. આ માટે મોર્નીગ વોક કરવું ખુબ જરૂરી છે. મોર્નીગ વક થી મોટપની સમસ્યા સાથે કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓનો સામનો પણ થઈ શકે છે.

આ પણ વાંચો : આજે તુલસી વિવાહ જાણો પૂજાની વિધિ અને શુભ મુહુર્ત

જાણો શું છે મોર્નિંગ વોકના ફાયદા અને કઈ બીમારીનો છે રામબાણ ઈલાજ ? - humdekhengenews

હૃદય રોગ અટકાવે છે

જે લોકો નિયમિત મોર્નિંગ વોક કરે છે, તેમને કોરોનરી આર્ટરી ડિસીઝ, ટ્રિપલ વેસલ ડિસીઝ, હાર્ટ એટેક અને હાર્ટ ફેલ્યોરનો ખતરો ઘણી હદ સુધી ઘટી જાય છે, કારણ કે તે લોહીમાં સંગ્રહિત ચરબીને ઘટાડે છે, જેનાથી નસોમાં બ્લોકેજ ઓછો થાય છે અને પછી ત્યાં સુધી તે લોહીમાં રહેલ ચરબીને ઘટાડે છે. હૃદયમાં લોહીના પ્રવાહમાં કોઈ સમસ્યા નથી અને હૃદય સ્વસ્થ રહે છે.

Back to top button