ગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટના રાજકારણમાં ખળભળાટ, આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો ગેરલાયક ઠેરવાયા

Text To Speech

રાજ્યમાં હાલ ચૂંટણીનો માહોલ છે. આજકાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થવાની સંભાવના છે. આ ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. આ વચ્ચે રાજકોટના રાજકારણને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ શહેરી વિકાસ સચિવ દ્વારા આમ આદમી પાર્ટીના વશરામ સાગઠીયા અને કોમલબેન ભરાયને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. કોંગ્રેસમાંથી પક્ષપલટો કર્યા બાદ બન્ને નેતાઓ બહુમતી સાબિત કરી શક્યા નથી. જેના પગલે તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. ઓર્ડરના જણાવ્યા પ્રમાણે દાવો કરનાર હાલ કોંગ્રેસના કોર્પોરેટર અને નેતા વિપક્ષ ભાનુબેન સોરાણી દ્વારા વશરામ સાગઠીયા અને કોમલ બેન ભારાઈને કોંગ્રેસના કોર્પોરેટર તરીકે ગેર લાયક ઠેરવવા માટે શહેરી વિકાસમાં અરજી કરવામાં આવી હતી. જે અરજીના પગલે શહેરી વિકાસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને બંને કોર્પોરેટરોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.

શહેરી વિકાસના ઓર્ડર સામે સ્ટે લેવા વશરામ સાગઠીયા અને કોમલબેન ભરાઇ હાઇકોર્ટમાં જશે. શહેરી વિકાસના ઓર્ડર પર સ્ટે ના મળે તો પેટા ચૂંટણીના પડઘમ વાગવાનું શરુ થશે. હાલ પૂરતું મનપા દ્વારા થોભો અને રાહ જુવોની નીતિ અપનાવવામાં આવશે. પેટા ચૂંટણી માટે મનપા કમિશનર દ્વારા સરકારમાં દરખાસ્ત મોકલવી જરૂરી. પરંતુ હાલ અરજદારો દ્વારા કાયદાકીય પ્રક્રિયા ચલાવવામાં આવનાર હોઈ તેથી પરિણામ આવ્યા બાદ મનપા દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો : કેજરીવાલનું હિંદુ કાર્ડ: ચલણી નોટ પર ભગવાનની તસવીર મામલે સર્વેમાં આવ્યું ચોંકાવનારુ પરિણામ

Back to top button