ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

સિદ્ધપુર વિધાનસભા બેઠકનું રાજકારણ ગરમાયું, કોંગ્રેસની ચિંતા વધી

સિદ્ધપુર ખાતે આજે ક્ષત્રિય ઠાકોર સમાજ નું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ, સાંસદ સહીત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો આ કાર્યક્રમમાં ઠાકોર સેનાના પ્રમુખ તેમજ સેનાના કાર્યકરોએ કેસરીઓ ધારણ કરતા સિદ્ધપુર વિધાનસભા બેઠકનું રાજકારણ ગરમાયું છે.

આ પણ વાંચો: કોંગ્રેસના આ ધારાસભ્ય 55 કિલોમીટર પગપાળા ચાલ્યા, કારણ જાણી રહેશે દંગ

રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસારનો દોર ધમ ધમતો કરાયો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસારનો દોર ધમ ધમતો કરી દેવાયો છે. જેમાં તોડજોડની રાજનીતિ પણ શરુ થઇ જવા પામી છે. ત્યારે આજે સિદ્ધપુર ખાતે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સિદ્ધપુર મુકામે આવી રોડ-શો કરી સહેસા ગામે પહોંચ્યા હતા. જ્યાં જાહેર સભા યોજાઈ હતી. જેમાં સી.આર. પાટીલ, અલ્પેશ ઠાકોર, ભરતસિંહ ડાભી સાંસદ વગેરે અગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: કોંગ્રેસમાં વગ ધરાવતા ધારાસભ્ય ભાજપમાં ટીકીટ લેવા લાઇનમાં જોડાયા

સી.આર. પાટીલે કેજરીવાલના હિન્દૂ કાર્ડ મામલે પ્રહાર કર્યા

કાર્યક્રમમાં ક્ષત્રિય ઠાકોર સેનાના પાટણ જિલ્લા પ્રમુખ જીબાજી ઠાકોરે સી.આર.પાટીલના હાથે કેસરીઓ ધારણ કરી લેતા રાજકીય ગરમાઓ જોવા મળ્યો હતો. તો જીબાજી ઠાકોર વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી દાવેદારી માટે ભારે ચર્ચામાં હતા. પણ છેલ્લા સમયે તેમને ટિકિટ ન મળતા નિરાશા સાંપડી હતી. ત્યારે અગામી 2022ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાંથી ફરી ટિકિટ મેળવવા માટે ક્ષત્રિય ઠાકોર સમાજ એક કર્યો હતો. અને કોંગ્રેસમાંથી ટિકિટ મેળવવા માટે હુકાર કર્યો હતો. પણ આ સમયે પણ તેમને ટિકિટ મળે તેમ ન હોઈ છેવટે તેમને આજે કેસરિયા કરતા રાજકીય ભૂકંપ સર્જાવા પામ્યો છે. અને કોંગ્રેસ વિચારધારા સાથે જોડાયેલ જીબાજી ભાજપનો ખેશ ધારણ કરતા કોંગ્રેસને સિદ્ધપુર સીટ પર મોટો ફટકો સહન કરવાનો વારો આવી શકે છે. તો સી.આર. પાટીલે કેજરીવાલના હિન્દૂ કાર્ડ મામલે પ્રહાર કરતા જણાવ્યું હતું કે પંજાબના કાર્યાલયમાંથી મહાત્મા ગાંધીના ફોટો હટાવી લીધા છે.

આ પણ વાંચો: ગુજરાતની આ બેઠક માટે બે ભાઈઓની દાવેદારીથી ભાજપમાં અસમંજસ

નોટોમાંથી પણ મહાત્મા ગાંધીનો ફોટો હટાવી ન લે તેને માટે ચિંતા

હાલની ચલણી નોટોમાંથી પણ મહાત્મા ગાંધીનો ફોટો હટાવી ન લે તેને માટે ચિંતા કરવાની જરૂર છે. વધુમાં તેમને દેશના વડાપ્રધાન મોદીને ભુવા ગણાવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. સાથે ભાજપમાં જોડાયેલ જેબાજી ઠાકોરે આવનારી વિધાનસભા ચૂંટણીમાં પાટણ બેઠક પર કોંગ્રેસને ચારે ચાર બેઠક પર મોટો ફટકો આપશે સાથે ઉત્તર ગુજરાત માં પણ કોંગ્રેસને નુકસાન થવાની વાતો કરી હતી. ત્યારે જોવું રહ્યું કે કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલ જેબાજી ભાજપમાં જોડતા ભાજપને કેટલો ફાયદો થશે.

Back to top button