ટ્રેન્ડિંગમનોરંજન

રાહુલ ડરના શાહરુખ ખાન જેવો… વૈશાલીએ મમ્મીને જણાવી હતી રાહુલની હકિકત, મોત પહેલાં ખોલ્યો હતો રાઝ

Text To Speech

મુંબઈઃ ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કરનો આત્મહત્યાનો કેસ હાલ ઘણો ચર્ચામાં છે. વૈશાલીએ તેના ઈન્દોરાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ સમાચારે સમગ્ર ઈન્ડસ્ટ્રીને હચમચાવી દીધી હતી. વૈશાલી પાસે એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી, જેમાં તેણીએ તેના માતા-પિતાની માફી માંગી હતી અને તેના પાડોશી રાહુલ નવલાણી અને તેની પત્ની દિશાએ ત્રાસ આપવા અંગે લખ્યું હતું. અભિનેત્રીની માતાએ રાહુલને ડરનો શાહરૂખ ખાન કહ્યો હતો.

હવે વૈશાલીની માતા અનુકૌર ઠક્કર પુત્રી માટે ન્યાયની માંગ કરી રહી છે. અભિનેત્રીની માતાએ રાહુલ પર ગંભીર આરોપો મૂક્યા છે અને કહ્યું છે કે રાહુલના ત્રાસથી પરેશાન થઈ વૈશાલીએ આત્મહત્યા કરી છે. પોલીસે રાહુલ અને તેની પત્ની વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધ્યો છે.

રાહુલ અને તેની પત્નીએ જ મારી દીકરીનો ભોગ લીધોઃ વૈશાલીની માતા
વૈશાલી ઠક્કર
ની માતા અનુકૌર ઠક્કરે એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં ઘણી બાબતોનો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું, ‘વૈશાલી પહેલા તો જાતે જ બધા પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરતી રહી. કારણ કે હું હાર્ટ પેશન્ટ છું. વૈશાલીએ મને કહ્યુ હતું કે રાહુલ છેલ્લા અઢી વર્ષથી તેને પરેશાન કરી રહ્યો છે. તેણે વિચાર્યું હતું કે તે આ બધું સંભાળી લેશે, પરંતુ હવે તે થાકી ગઈ છે, અને મને સમસ્યાનું સમાધાન કરવા માટે કહ્યું હતું.

Vaishali Takkar
અભિનેત્રીની માતાએ રાહુલ પર ગંભીર આરોપો મૂક્યા છે અને કહ્યું છે કે રાહુલના ત્રાસથી પરેશાન થઈ વૈશાલીએ આત્મહત્યા કરી છે. પોલીસે રાહુલ અને તેની પત્ની વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધ્યો છે.

વૈશાલીએ માને જણાવ્યું હતું રાહુલનું સત્ય
વૈશાલી ઠક્કરે રાહુલ અંગે પોતાની માને જણાવ્યું હતું અને કહ્યું હતું કે તે ઘણો જ ખતરનાક છે. હવે મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં વૈશાલીની માએ રાહુલ અંગે અનેક ખુલાસા કર્યા હતા. એક્ટ્રેસની માએ જણાવ્યું કે- વૈશાલીએ કહ્યું હતું, મમ્મી તે મને અઢી વર્ષથી પરેશાન કરે છે. હું જણાવવા માગતી ન હતી કારણ કે તમે હાર્ટ પેશન્ટ છો. મને લાગે છે કે હું બધું જ સંભાળી લઈશ, પરંતુ હવે હું થાકી ગઈ છું. તમે જ આ સમસ્યાનો કોઈ ઉકેલ લાવો.

વૈશાલીએ રાહુલ અંગે પોતાની માને એમ પણ કહ્યું હતું કે તે ડર ફિલ્મના શાહરુખ ખાનના પાત્ર જેવો છે. તે બહારથી જોવામાં ઘણો જ સ્વીટ છે, પરંતુ અંદરથી એટલો જ ખતરનાક. તેને કોઈ નથી ઓળખતું માત્ર હું જ જાણું છું.

Vaishali Takkar
વૈશાલી ઠક્કરે રાહુલ અંગે પોતાની માને જણાવ્યું હતું અને કહ્યું હતું કે તે ઘણો જ ખતરનાક છે. હવે મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં વૈશાલીની માએ રાહુલ અંગે અનેક ખુલાસા કર્યા હતા.

વૈશાલીના મંગેતરને પણ ભડકાવ્યો અને સગાઈ તોડી
અનુકૌરે વધુમાં જણાવ્યું કે રાહુલ અને તેની પત્નીએ વૈશાલીના મંગેતર મિતેશને ઉશ્કેર્યો અને તેના સંબંધો તોડાવી નાખ્યા. તેણે કહ્યું, “વૈશાલી મિતેશ સાથે રિલેશનશિપમાં રહીને ખૂબ ખુશ હતી. તે પોતાનું નવું જીવન શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી, પરંતુ રાહુલ કે તેની પત્નીએ મિતેશને ઉશ્કેર્યો હતો.

Back to top button