ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યના 23 IAS અધિકારીઓની બદલી, અમદાવાદના નવા કમિશ્નર બન્યા એમ.થેન્નારસન અને કલેકટર બન્યા ડૉ.ધવલ પટેલ

Text To Speech

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી IAS અધિકારીઓની બદલીની વાતો ચાલી રહી હતી તેના પર આજે આખરી મોહર લાગી ગઈ છે. અમદાવાદના નવા કમિશ્નર તરીકે એમ.થેન્નારસનની નિમણુંક થઈ છે ત્યારે નવા કલેકટર તરીકે ડૉ.ધવલ પટેલની નિમણુંક થઈ છે.

IAS Transfer Notification Gujarat

જ્યારે રમેશ મેરજા બન્યા ભાવનગરના કલેક્ટર તરીકે  તો કચ્છના કલેક્ટર તરીકે દિલીપ રાણાની નિયુક્તી થઈ છે. આ ઉપરાંત ધવલ પટેલના અમદાવાદ જવના કારણે સંદીપ સાંગલે ગાંધીનગર મનપાના નવા કમિશ્નર બન્યા છે.

IAS Transfer Notification Gujarat  01

આ તરફ જી.ટી.પંડ્યા મોરબીના નવા કલેક્ટર બન્યા તો  ડી.એસ.ગઢવીની આણંદના કલેક્ટર તરીકે નિમણુંક થઈ છે.  તેમજ બી.આર.દવેની તાપી-વ્યારાના કલેક્ટર તરીકે બદલી થઈ છે.

IAS Transfer Notification Gujarat  02

તાપી કલેકટર તરીકે બી.આર દવે, તો  મહીસાગર કલેકટર પદે બી.કે.પંડયા અને લાંબા સમયથી રહેલી ભરુચ ડીડીઓ તરીકે પી.આર.જોશી પહોંચ્યા છે.

આ પણ વાંચો : વર્ગ 4 ના કર્મચારીઓ માટે દિવાળી બોનસ જાહેર, જાણો કોને કેટલુું મળશે બોનસ

Back to top button