ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

દિવાળીમાં PM મોદીએ સ્વદેશી ફટાકડા ફોડવાની અપીલ કરી

Text To Speech

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં 3 દિવસનો પ્રવાસ કર્યો છે. જેમાં PM મોદીએ સોમવારના રોજ ભરૂચ ખાતે જનમેદનીને સંબોધતા નાગરિકોએ વોકલ ફોર લોકલ અપનાવવાનું કહ્યું હતું. આ સાથે આ દિવાળીના પાવન પર્વે વિદેશી ફટાકડાની જગ્યાએ ભારતીય બનાવટના ફટાકડા ફોડવાની અપીલ કરી હતી. ત્યારે વડોદરાના વાડી સ્વામિનારાયણ મંદિર રોડ ખાતે રહેતા ઇમરાન કાપડવાલાનો પરિવાર વર્ષ 1965 થી ફટાકડા બનાવે છે અને તેઓ દ્વારા બનાવવામાં આવેલા ફટાકડા મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા ભારતના અનેક રાજ્યોમાં વેચાય પણ છે.

વર્ષ 1965 માં ફટાકડા બનાવવાની ફેક્ટરી શરૂ કરી

ફટાકડાની બનાવટ અને તેના ટ્રેન્ડ વિશે માહિતી આપતા ઇમરાન કાપડવાલાએ જણાવ્યું હતું કે, મારા દાદાએ શહેર નજીક આવેલા દિવાળીપુરા ગામ ખાતે વર્ષ 1965 માં ફટાકડા બનાવવાની ફેક્ટરી શરૂ કરી હતી. જેમાં બનતા ફટાકડાની માંગ દેશના અનેક રાજ્યોમાં છે. ફટાકડાનો વ્યવસાય કરતા અમારા પરિવારની ત્રીજી પેઢીમાં હું આવું છું. ત્યારે આ વ્યવસાયને સારી રીતે ચલાવવા માટે લંડન ખાતેથી મેન્યૂફેક્ચરિંગ એન્ડ ડિસ્પ્લે ફાયર વર્કનો કોર્ષ પણ કર્યો છે.

અહિયા રોજ 40 થી 50 હજાર લોકો ફટાકડા લેવા માટે આવે છે

વડોદરાના લોકો પહેલા ફટાકડા લેવા માટે ખાસ પ્રદર્શન મેદાન ખાતે જતા હતા. પરંતુ આગ લાગવાના બનાવને કારણે નાગરિકો ત્યા જતા ગભરાય છે. જેથી અમે શહેર નજીક આવેલા દિવાળીપુરા ખાતે આર.સી.સીના પાક્કા સ્ટોલ બનાવ્યા છે. જ્યાથી લોકો વર્ષ દરમિયાન ગમે ત્યારે ફટાકડા લઇ શકે છે. દિવાળીની સિઝનમાં અહિયા રોજ 40 થી 50 હજાર લોકો ફટાકડા લેવા માટે આવે છે. આ વર્ષે કોરોનાને કારણે મેન્યૂફેક્ચરિંગ ઓછું થયું છે. જેના પરિણામ સ્વરૂપ નવી વેરાયટી લોકોને નહિવત્ પ્રમાણમાં પ્રાપ્ત થશે.

Back to top button