ટોપ ન્યૂઝસ્પોર્ટસ

બુમરાહ T20 વર્લ્ડ કપમાંથી બહાર, BCCI ની સત્તાવાર જાહેરાત, નવો વિકલ્પ કોણ ?

Text To Speech

T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. પીઠની સમસ્યાને કારણે તે વર્લ્ડ કપમાં રમી શકશે નહીં. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ સત્તાવાર જાહેરાત કરી છે. ટૂંક સમયમાં અન્ય ખેલાડી એટલે કે બુમરાહના સ્થાનની જાહેરાત કરવામાં આવશે.

ચારથી છ મહિના સુધી ક્રિકેટથી દૂર રહી શકે છે બુમરાહ

સૂત્રો અનુસાર બુમરાહ ચારથી છ મહિના સુધી ક્રિકેટથી દૂર રહી શકે છે. બુમરાહ સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરીઝ માટે ટીમ સાથે તિરુવનંતપુરમ ગયો હતો, પરંતુ ત્યાં એક દિવસની પ્રેક્ટિસ કર્યા બાદ તે બેંગલુરુ ચાલ્યો ગયો. તે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં પુનર્વસનમાં હતો. આ પછી બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે બુમરાહ હજુ સંપૂર્ણ રીતે ટીમની બહાર નથી અને તે ટૂર્નામેન્ટમાં વાપસી કરી શકે છે.

આ પણ વાંચો : ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી માટે નોંધણીની મુદ્દતમાં કરાયો વધારો

ભારતને ડેથ ઓવર બોલિંગ હજુ પણ સમસ્યા છે

જો કે, હવે BCCIની પ્રેસ રિલીઝમાં બુમરાહના T20 વર્લ્ડ કપમાંથી બહાર થવાની પુષ્ટિ થઈ ગઈ છે. બુમરાહની ગેરહાજરી ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો છે. તેનાથી ભારતને મોટો ફરક પડી શકે છે, કારણ કે ટીમ ઈન્ડિયાની ડેથ ઓવર બોલિંગ છેલ્લા કેટલાક સમયથી ખરાબ છે. બુમરાહની ગતિ અને યોર્કર કૌશલ્ય ભારત માટે કામમાં આવી શકે છે. જો કે, હવે તેની ગેરહાજરીમાં પસંદગીકારોએ વધુ સારો વિકલ્પ શોધવો પડશે, જેથી ડેથ ઓવરોમાં ભારતની બોલિંગને મજબૂત બનાવી શકાય.

આ પણ વાંચો : બાપુ ફરી કોંગ્રેસનો ‘હાથ’ પકડશે ? કાલે અર્જૂન મોઢવાડીયાની હાજરીમાં પ્રેસ કોન્ફોરેન્સ

બુમરાહનું રિપ્લેસમેન્ટ કોણ હોઈ શકે?

બુમરાહના બહાર થયા બાદ હવે ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવા માટે મોહમ્મદ શમી, દીપક ચહર અને મોહમ્મદ સિરાજ વચ્ચે સ્પર્ધા છે. T20 વર્લ્ડ કપમાં ચહર અને શમી સ્ટેન્ડબાય પર છે. આવી સ્થિતિમાં, આ બંનેમાંથી કોઈ એકની પસંદગી થવાની સંભાવના વધારે છે. શમી હાલમાં કોરોનામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. જો કે તેણે મેદાનમાં પરત ફરવાની તૈયારી શરૂ કરી દીધી છે. તેણે છેલ્લા એક વર્ષથી કોઈ આંતરરાષ્ટ્રીય ટી20 રમી નથી. છેલ્લી વખત તે ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં જોવા મળ્યો હતો. તે જ સમયે, ચાહર T20 ટીમનો નિયમિત ભાગ છે. જોકે, શમીનો અનુભવ ટીમ ઈન્ડિયા માટે કામમાં આવી શકે છે.

T20 વર્લ્ડ કપ ક્યારે છે ?

T20 વર્લ્ડ કપ 16 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. જોકે, શરૂઆતમાં ક્વોલિફાઇંગ રાઉન્ડ રમાશે. ચાર ટીમ સુપર-12 રાઉન્ડ માટે ક્વોલિફાય થશે. આ પછી 22 ઓક્ટોબરથી સુપર-12 રાઉન્ડ શરૂ થશે. ભારત સહિત ટોચની આઠ ટીમ સુપર-12 રાઉન્ડ માટે સીધી ક્વોલિફાય થઈ ગઈ છે. ભારતીય ટીમ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.

બુમરાહના ખસી ગયા બાદ T20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, રિષભ પંત (WK), દિનેશ કાર્તિક (WK), હાર્દિક પંડ્યા, આર અશ્વિન , યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.

સ્ટેન્ડબાય ખેલાડીઓ : મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ, દીપક ચહર.

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસના જમ્મુના પ્રવાસે, જાણો આખો કાર્યક્રમ

Back to top button