ટોપ ન્યૂઝબિઝનેસ

અદાણી ગ્રૂપે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે ‘નો પોચિંગ એગ્રીમેન્ટ’ કર્યો, જાણો શું છે આ કરાર અને તેની કેવી અસર જોવા મળી શકે છે?

Text To Speech

વિશ્વના ત્રીજા સૌથી અમીર ગૌતમ અદાણીના જૂથે મુકેશ અંબાણીના રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે નો પોચિંગ એગ્રીમેન્ટ કર્યો છે. આ નો પોચિંગ એગ્રીમેન્ટનો અર્થ છે રિલાયન્સ ગ્રૂપ અને અદાણી ગ્રૂપના કર્મચારીઓને એકબીજાના ગ્રૂપની કંપનીઓમાં જગ્યા નહીં મળે. આ એગ્રીમેન્ટથી બંને ગ્રૂપની કંપનીઓના ટેલેન્ટને એક બીજામાં હાયર નહિ કરી શકે.

એગ્રીમેન્ટની ટાઈમિંગ મહત્વપૂર્ણ છે- બંને ગ્રૂપ વચ્ચે મુકાબલો વધી રહ્યો છે
બિઝનેસ ઈનસાઈડરના એક રિપોર્ટ મુજબ આ એગ્રીમેન્ટ આ વર્ષે મેમાં લાવવામાં આવ્યો હતો, આ બંને કંપનીઓના તમામ બિઝનેસ પર લાગુ થશે. બંને ગ્રૂપમાં હવે ધીમે-ધીમે હરિફાઈ વધી રહી છે કેમકે અદાણી ગ્રૂપ ધીમે ધીમે તે તમામ વ્યવસાયમાં પગ જમાવવાના પ્રયાસમાં છે જ્યાં રિલાયન્સ ગ્રૂપ પહેલેથી એક મોટી બ્રાન્ડ છે. જેનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે ગત વર્ષે અદાણી પેટ્રોકેમિકલ્સ લિમિટેડની સાથે અદાણી જૂથે પેટ્રોકેમિકલ્સ સેક્ટરમાં પ્રવેશ કર્યો છે જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પહેલેથી જ દેશની સૌથી મોટી કંપનીઓમાંથી એક છે અને જે વર્ષોથી આ સેક્ટરમાં કાર્યરત છે.

ટેલેન્ટ વોરને રોકવા માટે થઈ સમજૂતી
આ ઉપરાંત હાલમાં અદાણી ગ્રૂપે 5G સ્પેક્ટ્રમ માટે બોલી લગાવી હતી જે ક્ષેત્રમાં રિલાયન્સની રિલાયન્સ જીઓ ઈન્ફોકોમ દેશની સૌથી મોટી કંપની બની ગઈ છે. હકિકતમાં બંને જૂથ આ એગ્રીમેન્ટ એટલા માટે કર્યો છે કેમકે કંપનીઓ વચ્ચે ટેલેન્ટ વોરને રોકી શકાય.

કર્મચારીઓ માટે મુશ્કેલી
રિપોર્ટ મુજબ આ એગ્રીમેન્ટ પછી મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સની કંપનીઓમાં કામ કરતા 3.80 લાખથી વધુ કર્મચારીઓ માટે હાલ ગ્રૂપ કે નોકરી બદલી અદાણી જૂથની કંપનીઓમાં કામ કરવાનું શક્ય નથી. આ ઉપરાંત અદાણી ગ્રૂપની કંપનીઓના 23 હજારથી વધુ એમ્પ્લોઈ મુકેશ અંબાણીની કોઈ પણ કંપનીમાં નોકરી નહીં કરી શકે.

Back to top button