ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ગુનાખોરીને ડામવા સરકાર મક્કમ, ગુના નિયંત્રણ સુધારા વિધેયક સર્વાનુમતે પાસ

Text To Speech

ગુજરાતમાં સંગઠિત ગુનાઓને ડામવા માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. આતંકવાદ સામેની લડાઈને વધુ મક્કમતાથી આગળ વધારવાનું મન બનાવી સરકારે ગુનેગારો સામે કડકમાં કડક કામગીરી કરવાનો નિર્ણય લીધો છે.

crime
crime

ગુજરાત વિધાનસભામાં ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યું. તે દરમિયાન ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે,ગુજસીટોક કાયદાની જોગવાઈઓમાં વિસંગતતા દૂર કરવા માટે સરકારે વટહુકમ બહાર પાડયો હતો એને કાયદાનું સ્વરૂપ આપવા માટે આ સુધારા વિધેયક લાવવામાં આવ્યું છે. આ સુધારા વિધેયક વિધાનસભામાં સર્વ સંમતીથી પસાર કરાયું હતું.

crime
crime

રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોને વધુને વધુ સુરક્ષિત કરવા માટે સમયબધ્ધ આયોજન કરીને અસરકારક કામગીરી કરવામાં આવી રહ્યું છે. જેના પરિણામે કેન્દ્ર સરકારના NCRBના 2021ના અહેવાલ મુજબ ગંભીર ગુનાઓ,ખૂન સંબંધી ગુનાઓ, મહિલા સંબંધી ગુનાઓમાં દેશના 36 રાજયોમાં ગુજરાત છેલ્લી હરોળમાં છે. તે માત્ર ને માત્ર રાજયમાં અમલી ગુજસીટોક કાયદાને આભારી છે.

સંગઠિત ગુનાઓને ડામવા રાજય સરકારનો મકકમ નિર્ધાર

  • રાજયમાં આતંકવાદ સામેની લડાઈ વધુ મજબૂતાઈથી આગળ વધારાશે:ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંઘવી
  • NCRBના 2021ના અહેવાલ મુજબ ગંભીર ગુનાઓ,ખૂન,મહિલા સંબંધી ગુનાઓમાં 36 રાજયોમાં ગુજરાત છેલ્લી હરોળમાં:આ માત્ર ને માત્ર ગુજસીટોક કાયદાને આભારી
  • ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક વિધાનસભામાં સર્વાનુમતે પસાર કરાયું હતું

રાજ્ય સરકારે આતંકવાદી પ્રવૃત્તિઓને અટકાવવા અને તેનું નિયંત્રણ કરવા માટે વિશેષ જોગવાઈઓ કરવા અને સંગઠિત ગુના સિન્ડિકેટ્સની ગુનાહિત પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા તેમજ તેની સાથે સંકળાયેલી અને તેને આનુસંગિક બાબતો માટે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ, 2015થી રાજ્યમાં અમલમાં છે.

આ અધિનિયમના અમલ દરમિયાન કોઇપણ જોગવાઇનું રાજ્યમાંની વ્યક્તિઓને બિનજરૂરી મુશ્કેલીમાં મૂકે તેવું ખોટું અર્થઘટન ન થાય તેમજ અમુક જોગવાઈઓ વધુ અર્થપૂર્ણ બનાવવા અને તેનું સરળ અર્થઘટન કરવા માટે, સરકારે આ અધિનિયમની કલમ 2-ની પેટા-કલમ (1)નો ખંડ (ચ), કલમ 4 અને કલમ 20ની પેટા-કલમ (5) સુધારા કર્યા છે.

આ નવી જોગવાઈ મુજબ, કલમ 2-ની પેટા-કલમ (1નો ખંડ (ચ)માં “ખંડણી, જમીન પચાવી પાડવી, સોપારી આપવી (કોન્ટ્રાક્ટ કિલિંગ), આર્થિક ગુના, ગંભીર પરિણામોવાળા સાયબર ગુના, મોટા પ્રમાણમાં જુગારના કૌભાંડ ચલાવવા, વેશ્યાવૃત્તિ માટે માનવ તસ્કરી કૌભાંડ (હ્યુમન ટ્રા઼ફિકીંગ રેકેટ) ચલાવવા અથવા બાનની રકમ લેવા સહિતની તેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અને આતંકવાદી કૃત્ય ચાલુ રાખવું તે” એ શબ્દોને બદલે, “ખંડણી, જમીન પચાવી પાડવી, સોપારી આપવી (કોન્ટ્રાક્ટ કિલિંગ), આર્થિક ગુના, ગંભીર પરિણામોવાળા સાયબર ગુના, વેશ્યાવૃત્તિ માટે માનવ તસ્કરી કૌભાંડ (હ્યુમન ટ્રા઼ફિકીંગ રેકેટ) ચલાવવા અથવા બાનની રકમ લેવા સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખવી તે” એ શબ્દો મૂકવામાં આવ્યા છે.

આ અધિનિયમની કલમ-4માં, “અથવા કોઈપણ સમયે” એ શબ્દોને બદલે, “અથવા આ અધિનિયમના આરંભની તારીખ પછી કોઈપણ સમયે” એ શબ્દો મૂકવામાં આવ્યાં છે. તેમજ મુખ્ય અધિનિયમમાં કલમમાં પેટા-કલમ(5)માં, “ગુનાની તારીખે આરોપી આ અધિનિયમ અથવા બીજા અધિનિયમ હેઠળના” એ શબ્દોને બદલે, “ગુનાની તારીખે આરોપી આ અધિનિયમ હેઠળના” શબ્દનો ઉપયોગ કરાશે.

Back to top button