ગુજરાતટ્રેન્ડિંગનેશનલ

મોદીજીની આ ખાસ વાતો તમે ક્યારેય નહીં જાણી હોય

Text To Speech

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. તેમના જન્મદિવસ પર કેટલીક રસપ્રદ વાતો જે તમે ક્યારેય નહીં જાણી હોય. નૃપેન્દ્ર મિશ્રા જે 2014થી 2019 સુધી વડાપ્રધાન મોદીના મુખ્ય સચિવ રહ્યા છે. તેમણે મોદીજી વિશે કેટલીક જૂની અને રસપ્રદ વાતો જણાવી હતી. તેમણે જણાવ્યું હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આંતરાષ્ટ્રીય મંચ પર તેમના નેતૃત્વકારી ભૂમિકા માટે તેમનો વિશ્વ સ્તર પર સ્વીકાર કરવામાં આવ્યા છે. તેમજ રાજકીય વિરોધીઓએ પણ તેમની નિર્વિવાદ લોકપ્રિયતાને સ્વીકાર કરી છે. વડાપ્રધાનની દરેક વાત પર ધ્યાન આપવામાં આવે છે. તેમની દરેક બાબતો પર લોકોની નજર રહે છે. આમ છતાં તેમના વિશેની ઘણી વાતો લોકોને નથી ખબર. તેમાં ઘણી બાબતો છુપાયેલી છે.

વડાપ્રધાન મોદીની યોજનાઓ:

નૃપેન્દ્ર મિશ્રા (Nripendra Mishra)એ તેમની સાથે જૂની યાદોનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે તેમની (વડાપ્રધાન મોદી-Narendra Modi) સાથે વાત કરી છે, તેમના હૃદયમાં ભેદભાવ જેવી કોઈ વાત ક્યારેય નથી આવી. વડાપ્રધાનની જનધન યોજનાનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે આ મહત્વકાંક્ષી યોજના છે જે એક શાનદાર સફળતા અને લાખો જરુરિયાત મંદો માટે સહાયતાના રુપમાં સામે આવી. આ મહામારીના સમયમાં આ જ ખાતાનો ઉપયોગ કરીને ડિજિટલ રીતે રુપિયા ટ્રાન્સફર કરી શકાયા, જેમાં પીએમ ગ્રામીણ રોજગાર અને ઉજ્જવલા યોજનાનો સમાવેશ થાય છે. ઉજ્જવલા હેઠળ ગેસ સિલિન્ડરનું વિતરણ, ગરીબો માટે ઘર બનાવવા માટે તેમના નિર્દેશ હંમેશા સ્પષ્ટ રહે છે. ‘સબકા સાથ સબકા વિકાસ’ સિવાય રાષ્ટ્ર વિકાસ તેમનું એકમાત્ર લક્ષ્ય રહ્યું છે.

PM MODI- HUM DEKHENGE
નરેન્દ્ર મોદીની સફળતામાં શિસ્તનો મોટો ફાળો છે.

સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી દેતા:

બાદ તેમણે એ દેશોના રાષ્ટ્રપ્રમુખો સાથે બેઠક કરી જેઓ સમારોહમાં શપથ ગ્રહણ માટે આવ્યા હતા. વિદેશ મામલે તેમને ઓછા આંકનારા લોકોને તેમના આ નિર્ણય ચોંકાવી દીધા. વડાપ્રધાન સારા પાડોશી સંબંધોના સંદેશને લઈને સંપૂર્ણ કોશિશમાં હતા કે જેમાં ભારતના તમામ પાડોશી દેશોમાં મધૂર સંબંધ હોય. શરુઆતમાં જ એ સંદેશ ગયો કે તેઓ સાઉથ બ્લોકની ફાઈલોમાં અડચણરુપ નહીં બને. વડાપ્રધાને સ્પષ્ટ કરી દીધું કે 70 વર્ષના ભારને કોઈ જગ્યા નથી અને તેમની વિદેશ નીતિ જબરજસ્તીથી નહીં ચાલે.

વડાપ્રધાન મોદીની વિદેશ નીતિ:

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ નીતિમાં ઈઝરાઈલ અને તાઈવાનમાં સતારાત્મક ઝલક જોવા મળી. જોકે, તેમની લાહોર યાત્રાને સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. તેમની લાહોરની આશ્ચર્યજનક યાત્રા જણાવે છે કે તેઓ પાડોશીઓ સાથે કેવો સંબંધ ઈચ્છતા હતા. પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફના આમંત્રણને સ્વીકારીને તેઓ પાકિસ્તાન પહોંચ્યા હતા. તેમણે દરેક જૂની વાતોને પાછળ છોડીને દ્વિપક્ષીય સંબંધોને સુધારવાની દિશામાં પહેલ કરી. આ પાકિસ્તાનનું દુર્ભાગ્ય છે કે એ દેશમાં પોતાના ખોટા સ્વાર્થના કારણે શાંતિ અને સમૃદ્ધિની પહેલને નકારી દીધી. રાષ્ટ્રીય હિત પર ધ્યાન કેન્દ્રીય કરીને તેમણે સાઉદી અરબ અને યુએઈ સાથે વિશેષ રુપથી ખાડી દેશોમાં સંબંધો બનાવ્યા.

પીએમના જન્મ દિવસની તેમના ચાહકો દ્વારા ઉજવણી.

વિચારોમાં એકદમ ખુલ્લી છૂટ:

વડાપ્રધાન મોદી સાથે બેઠકમાં ભાગ લેવાનો અનુભવ છે, તેઓ વિચારોના આદાન-પ્રદાન માટે ખુલ્લી સ્વતંત્રતા આપે છે. તેમની સાથે વાતચીત હંમેશા એક સ્પષ્ટ સંવાદ રહ્યો છે. તેમણે વ્યક્તિને મળતી વખતે કોઈ પણ પ્રકારની ઉતાવળમાં હોય તેવું દર્શાવ્યું નથી અને અલગ-અલગ વલણોને ધ્યાનથી સાંભળે છે. એવા ઉદાહરણ સામે આવ્યા છે, જ્યાં તેમણે સલાહ અને મંતવ્યોનું સંપૂર્ણ સમર્થન કર્યું છે.

2000 રુપિયાની નવી નોટો જારી કરવાના વિચાર સાથે સહમત ન હતા:

2016માં નોટબંધીની તૈયારી દરમિયાન વડાપ્રધાન 2000 રુપિયાની નવી નોટો જારી કરવાના વિચાર સાથે સહમત નહોતા, પરંતુ એ લોકોના વિચારોને તેમણે સ્વીકાર્યા જેમણે જણાવ્યું હતું કે, ઊંચા મૂલ્યની નોટને ઝડપથી છપાવી શકાશે અને નાણાની અછત પૂર્ણ કરી શકાશે. તેઓ સંપૂર્ણ રીતે પોતાના નિર્ણયના માલિક હતા અને પોતાના સલાહકારોને ક્યારેય દોષ નહોતા આપતા. આ જ રીતે વ્યાજ દર, નાણાકીય ખાધ અને નાણાકીય સંસ્થાઓના માળખાકીય સુધાર વિશેના નિર્ણય સંપૂર્ણ રીતે તેમના વિચારો સાથે થઈ શકે તેમન નહોતા, પરંતુ સંસ્થાઓની અખંડતામાં વિશ્વાસના રુપમાં તેઓ આવા તમામ નિર્ણયોમાં તેમની પાછળ ઉભા રહેતા હતા.

આ પણ વાંચો: PM Modi Birthday: આજે જન્મદિવસ નિમિત્તે PM મોદી સવારથી સાંજ સુધી શું કરશે, આ છે સંપૂર્ણ શેડ્યૂલ

Back to top button