તેલંગાણાના સિકંદરાબાદમાં એક હોટલમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 8 લોકોના મોત થયા છે. જયારે કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. હૈદરાબાદના પોલીસ કમિશનર સીવી આનંદે જણાવ્યું હતું કે આગ હોટલના ગ્રાઉન્ડ ફ્લોર પર ઇલેક્ટ્રિક સ્કૂટર રિચાર્જિંગ યુનિટમાં લાગી હતી. જે પહેલા અને બીજા માળ સુધી ફેલાઈ ગઈ હતી. હૈદરાબાદના કમિશ્નરે કહ્યું કે અહીં ઘણા લોકોએ પોતાનો જીવ બચાવવા માટે બિલ્ડીંગ પરથી કૂદકો માર્યો હતો. સ્થાનિક લોકો તેમના બચાવમાં આગળ આવ્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ઘટનાસ્થળે ફાયરની ટીમ હાજર છે. આગ ઓલવવાનું કામ ચાલુ છે.
तेलंगाना के सिकंदराबाद में आग लगने से हुए लोगों की मौत से दुखी हूं। शोक संतप्त परिवारों के प्रति संवेदना। घायलों को शीघ्र स्वस्थ करें। PMNRF से प्रत्येक मृतक के परिजनों को 2 लाख रुपए दिए जाएंगे और घायलों को 50,000 रुपए दिए जाएंगे: प्रधानमंत्री नरेंद्र मोदी pic.twitter.com/J4pReTK5Kg
— ANI_HindiNews (@AHindinews) September 13, 2022
बहुत ही दुर्भाग्यपूर्ण घटना। फायर ब्रिगेड की टीमों ने लॉज से लोगों को निकालने की पूरी कोशिश की लेकिन काफी धुएं के कारण कुछ लोगों की मौत हो गई। लॉज से कुछ लोगों को बचा लिया गया। हम जांच कर रहे हैं कि घटना कैसे घटी: तेलंगाना के गृह मंत्री मोहम्मद महमूद अली https://t.co/eB561gQV6s pic.twitter.com/T5oFyTHggQ
— ANI_HindiNews (@AHindinews) September 13, 2022
ગૃહમંત્રીએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે
રાજ્યના ગૃહમંત્રી મોહમ્મદ મહમૂદ અલીએ આ ઘટનાની તપાસની માંગ કરી છે. “તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે,” તેમણે કહ્યું. ફાયર બ્રિગેડની ટીમ લોજમાંથી લોકોને બચાવવા માટે તમામ પ્રયાસ કરી રહી છે, પરંતુ ભારે ધુમાડાને કારણે કેટલાક લોકોના મોત થયા હતા. લોજમાંથી કેટલાક લોકોને બચાવી લેવાયા છે. આ ઘટના કેવી રીતે બની તેની અમે તપાસ કરી રહ્યા છીએ.
तेलंगाना: बीती रात सिकंदराबाद के एक होटल में लगी आग को बुझा लिया गया है। तस्वीरें आज सुबह की हैं। pic.twitter.com/pDTF1JIEQj
— ANI_HindiNews (@AHindinews) September 13, 2022
तेलंगाना: बीती रात सिकंदराबाद के एक होटल में आग लगी।हादसे में 6 लोगों की मौत हो गई। बचाव अभियान जारी है।
हैदराबाद कमिश्नर सीवी आनंद ने बताया, "आग लगने से 6 लोगों की मौत हो गई है। ग्राउंड फ्लोर पर इलेक्ट्रिक स्कूटर रिचार्जिंग यूनिट में आग लगी। जिससे ऊपरी फ्लोर में धुंआ हो गया।" pic.twitter.com/wqE1BYs42r
— ANI_HindiNews (@AHindinews) September 13, 2022
PM મોદીએ 2 લાખની સહાય આપવાની જાહેરાત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગની આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, તેલંગાણાના સિકંદરાબાદમાં આગને કારણે થયેલા જાનહાનિથી દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. દરેક મૃતકના પરિજનોને PMNRF તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે.