ગુજરાતટોપ ન્યૂઝ

કોંગ્રેસને લઈને મોટા સમાચાર, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ સહિતના દિગ્ગજ નેતાઓ નહીં લડે ચૂંટણી

Text To Speech

આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. અત્યારથી જ તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહી છે. આગામી વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ માટે ખરાખરીનો જંગ સાબિત થશે. આ વચ્ચે હવે ગુજરાત કોંગ્રેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.

congress flag
congress flag

મળતી માહિતી મુજબ આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ નહીં  લડે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ યાદીમાં ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ સહિત 5 દિગ્ગ્જ નેતાઓ ચૂંટણી લડશે નહીં. જેમાં પ્રદેશ પ્રમુખ અને નેતા વિપક્ષનો પણ સમાવેશ થાય છે, તેઓ આગામી વિધાનસભાની ચૂંટણીમાં મેદાને ઉતરશે નહીં.

File Photo

ભરતસિંહ અને શક્તિસિંહ સિવાય નેતા વિપક્ષ સુખરામ રાઠવાએ પણ ઉંમરના કારણે ચૂંટણી ન લડવાનું મન બનાવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. સિદ્ધાર્થ પટેલ પણ આ વખતે ચૂંટણી નહીં લડે તેવા સમાચાર સામે આવી રહ્યા છે.

આ પણ વાંચો : સુરત: ભાજપના નેતા સામે લોકોમાં આક્રોશ, ગણેશ ભક્તોએ લગાવ્યા મુર્દાબાદના નારા

Back to top button