ટોપ ન્યૂઝનેશનલ

સોનાલી ફોગાટના પરિવારને મળ્યા કેજરીવાલ, કહ્યું- CBI તપાસ થવી જોઈએ

Text To Speech

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ BJP નેતા સોનાલી ફોગાટના પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમની સાથે પંજાબના સીએમ ભગવંત માન પણ હાજર હતા. સીએમ કેજરીવાલે સોનાલી ફોગાટ કેસની CBI દ્વારા તપાસ કરાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે હરિયાણા અને ગોવામાં ભાજપની સરકાર છે. આ સમગ્ર મામલાની CBI દ્વારા તપાસ થવી જોઈએ.

CBI તપાસમાં જેટલો વિલંબ થશે તેટલી શંકા વધશેઃ કેજરીવાલ

દિલ્હીના સીએમ કેજરીવાલે કહ્યું કે સોનાલી ફોગાટના પરિવારને ન્યાય મળવો જોઈએ. સીબીઆઈ તપાસમાં જેટલો વિલંબ થશે તેટલી વધુ શંકા વધશે. તેમણે કહ્યું કે મોટા નેતાઓ, મોટા લોકો, મોટા ઉદ્યોગપતિઓ સામેલ હોવાની ઘણી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સીબીઆઈની તપાસમાં આ તમામ શંકાઓ સ્પષ્ટ થશે.

AAPના કન્વીનર અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન હરિયાણામાં યોજાનારી ચૂંટણીને લઈને બે દિવસીય મુલાકાતે 7 અને 8 સપ્ટેમ્બરે હિસારમાં હશે.

ઉલ્લેખનીય છે કે, 23 ઓગસ્ટે સોનાલી ફોગાટનું ગોવામાં મોત થયું હતું. શરૂઆતમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ ધીરે ધીરે આ કેસમાં પડતર ખુલવા લાગ્યું. સોનાલી ફોગાટના પીએનું નામ સામે આવ્યું. પી.એ.ની ધરપકડ કરી હતી. ત્યારપછી એક વીડિયો પણ સામે આવ્યો. જેમાં સોનાલી ફોગાટ લથડીયા ખાતી જોવા મળી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ફોગાટની હત્યાનો ખુલાસો થયો હતો.જેમાં સોનાલી ફોગાટના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. પરિજનોએ હત્યાની શક્યતા વ્યક્ત કરી હતી. એ પછી એક પછી એક ખુલાસા થયા હતા.

Back to top button