નેશનલ

મોદી અંગે વખાણ કરી કોંગ્રેસ-રાહુલ ગાંધી પર પ્રહાર કર્તા આઝાદે આપ્યું સૌથી મોટું નિવેદન

Text To Speech

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ગુલામ નબી આઝાદ પાર્ટી નેતાઓની ટીકાઓનો સામનો કરી રહ્યા છે. આઝાદે 26 ઓગસ્ટે પાર્ટીના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. આઝાદે જ્યારથી પાર્ટી છોડી છે ત્યારથી પાર્ટી તેમના પર પ્રહારો કરી રહી છે. પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ તેમણે સોમવારે પ્રથમ જાહેર નિવેદન આપ્યું હતું. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના ઘણા નેતાઓ પર પ્રહારો કર્યા હતા. એટલું જ નહીં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ પણ કર્યા હતા. આઝાદે રાજીનામું આપ્યા બાદથી ઉઠતા દરેક સવાલોના જવાબ આપ્યા હતા.

G-23 નેતાઓ અંગે કરી વાત

ગુલામ નબી આઝાદે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, મોદી એક બહાનું છે. જ્યારથી G-23 નેતાઓએ પત્ર લખ્યો છે ત્યારથી કોંગ્રેસને મારી સાથે સમસ્યા છે. તેઓ ક્યારેય ઇચ્છતા નહોતા કે તેમની (ગાંધી પરિવારની) પૂછપરછ કરવામાં આવે. કેટલીક બેઠકો યોજાઈ હતી, પરંતુ એક પણ સૂચન લેવામાં આવ્યું ન હતું. મને મારું ઘર (કોંગ્રેસ પાર્ટી) છોડવાની ફરજ પડી હતી. કોંગ્રેસમાં અભણ લોકોનો સમૂહ છે અને જેઓ કારકુન તરીકે કામ કરે છે તેઓ ક્યારેય કોંગ્રેસમાં રહ્યા નથી.

આ પણ વાંચો : આઝાદ બાદ રાહુલ ગાંધી ઉપર પ્રહાર સાથે કોંગ્રેસના આ વરિષ્ઠ નેતાએ પક્ષને કહ્યું અલવિદા….

મોદી અને રાહુલ ગાંધી અંગે આપ્યું નિવેદન

આ ઉપરાંત આઝાદે કહ્યું કે, ઈન્દિરા ગાંધીના પરિવારને જેટલો આદર મળવો જોઈએ તેટલો આદર રાહુલ ગાંધીને પણ છે. હું તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરું છું. અમે તેમને લાંબા સમયથી લીડર બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમને તેમાં રસ નથી.હું મોદી કે ભાજપને મળ્યો નથી. તેઓ ગળે લગાવીને કહે છે કે અમારું હૃદય સ્વચ્છ છે, તેઓ મળ્યા કે હું મળ્યો. હું ભાજપમાં જોડાવાનો નથી. કારણ કે તે જમ્મુ-કશ્મીરમાં મારી રાજનીતિને મદદ કરશે નહીં.

કોંગ્રેસની હાલની સ્થિતિ અંગે પૂર્વ કોંગ્રેસ નેતાએ કહ્યું કે, કોંગ્રેસની નેતાગીરી પાસે વસ્તુઓને યોગ્ય કરવા માટે સમય નથી. પાર્ટીના સભ્યોને એક રાખવાને બદલે રાજ્યોમાં તેના નેતાઓ તેમને જવા દે છે. બીમાર કોંગ્રેસ કમ્પાઉન્ડરો પાસેથી દવા લઈ રહી છે, ડોક્ટરો પાસેથી નહીં. કોંગ્રેસનો પાયો નબળો છે. પક્ષ ગમે ત્યારે વિખેરાઈ શકે છે.

જયરામ રમેશ પર પ્રતિક્રિયા

બીજી તરફ જયરામ રમેશ પર પ્રહાર કરતાં આઝાદે કહ્યું કે, તેઓ પહેલા પોતાનું ડીએનએ ચેક કરાવે કે તે ક્યાંના છે અને કઈ પાર્ટીના છે, તેણે જોવું જોઈએ કે તેનો ડીએનએ કઈ પાર્ટીમાં છે. ખુશામત કરીને અને ટ્વિટ કરીને પોસ્ટ મેળવનારાઓ આક્ષેપો કરે તો અમને દુઃખ થાય છે.

Back to top button