ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સોનાલી મર્ડર મિસ્ટ્રીઃ વશમાં કરવા કોણ કરતું તાંત્રિકનો ઉપયોગ ?

Text To Speech

ભાજપ નેતા અને સોશિયલ મીડિયા સ્ટાર સોનાલી ફોગાટ હત્યા કેસમાં પોલીસ કાર્યવાહી કરી રહી છે, પરંતુ આ દરમિયાન વધુ એક ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. સોનાલી ફોગાટના નજીકના વ્યક્તિ કહેવાતા રિષભ બેનીવાલે ચોંકાવનારી માહિતી આપી છે. ઋષભ બેનીવાલે દાવો કર્યો છે કે આરોપી સુધીર સાંગવાને સોનાલી ફોગાટને કાબૂમાં રાખવા માટે તાંત્રિકનો ઉપયોગ કર્યો હતો, જેના માટે તેણે તાંત્રિકને ઘણી વખત ફાર્મ હાઉસ પર બોલાવ્યો હતો.

PA Sudhir Sangwan and Sonali Phogat
PA Sudhir Sangwan and Sonali Phogat

સોનાલી ફોગાટ મર્ડર કેસમાં ચારની ધરપકડ

સોનાલી ફોગાટના પીએ સુધીર સાંગવાન સહિત પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરી છે. સુધીર સાંગવાન ઉપરાંત, સુખવિંદર સિંહ, કથિત ડ્રગ પેડલર અને ગોવાના કર્લીઝ રેસ્ટોરન્ટનો માલિક પણ પોલીસની કસ્ટડીમાં છે.

રિષભ બેનીવાલે સુધીર સાંગવાન પર લગાવ્યા આરોપ

રિષભ બેનીવાલે સુધીર સાંગવાન પર વધુ આરોપ લગાવ્યા છે. ઋષભે કહ્યું, સોનાલીની દીકરી યશોધરાને પણ સુધીર તરફથી ખતરો છે, મારી હાજરીમાં તેણે સોનાલી સાથે ખરાબ વર્તન કર્યું. તેની પાસે કંઈક હતું જેનાથી સોનાલી તેનું માનતી હતી. મેં સોનાલીને તેના ગુનાહિત રેકોર્ડ વિશે જણાવ્યું.. ખેડૂતો સાથે છેતરપિંડી વિશે વાત કરી. ઋષભ બેનીવાલે વધુમાં કહ્યું કે રોહતકમાં સુધીર સાંગવાનની ક્રિમિનલ ફાઇલ છે. રિષભે કહ્યું, “સબસિડી મેળવવાના નામે ખેડૂતો પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. “

Sonali Phogat
Sonali Phogat

સુધીર સાંગવાનના કથિત છેતરપિંડીનો ભોગ બનેલા ખેડૂતે કહ્યું, “સુધીર સાંગવાન સોનાલી ફોગાટને લઈ ખેડૂતો પાસે આવતો હતો, તેની વિરુદ્ધ 420 આરોપ છે. જે ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવી છે તેમની સાથે સોનાલી ફોગાટનો વીડિયો પણ ઉપલબ્ધ છે.” ખેડૂતે કહ્યું કે સોનાલી ફોગાટ તેના ફાર્મ હાઉસમાં ખેડૂતોના આયુર્વેદિક ઉત્પાદનો ઉગાડવા માંગતી હતી.

Back to top button