ધર્મ

આ પાંચ વસ્તુઓ ઘરમાં રાખો, વધશે ધન અને સમૃદ્ધિ

Text To Speech

ઘણીવાર એવું સાંભળવામાં આવે છે કે, કમાણી સારી છે પરંતુ પૈસા બચતા નથી અથવા તમે પૈસા સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો, તો તેનું કારણ તમારા ઘરમાં હાજર વાસ્તુ દોષ હોય શકે છે. આ ખામીથી છૂટકારો મેળવવા અને ધનની કમી દૂર કરવા માટે વાસ્તુશાસ્ત્રમાં પાંચ બાબતો જણાવવામાં આવી છે, જેનાથી ધન અને સુખમાં અવરોધ ઉભી કરતી નકારાત્મક શક્તિઓની અસર દૂર થાય છે અને દેવી લક્ષ્મીની કૃપા તમારા પરિવાર પર બની રહે છે.

વાંસળી : ભગવાન કૃષ્ણની પ્રિય વાંસળીને ખૂબ જ શુભ પ્રતીક માનવામાં આવે છે, આ સાથે જ તે વાસ્તુ દોષોને દૂર કરવા માટે ખૂબ જ અસરકારક ઉપાય માનવામાં આવે છે. આર્થિક સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે વ્યક્તિએ ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં ચાંદીની વાંસળી રાખવીજોઈએ. જો તમે ઈચ્છો તો સોનાની વાંસળી પણ રાખી શકો છો. જો સોના કે ચાંદીની બનેલી વાંસળી રાખવી શક્ય ન હોય તો વાંસની બનેલી વાંસળી ઘરમાં રાખી શકો, આમ કરવાથી લક્ષ્મીની કૃપા ઘરમાં બની રહે છે. શિક્ષણ, ધંધો કે નોકરીમાં અવરોધ આવે તો બેડરૂમના દરવાજેબે વાંસળી લગાવવી શુભ છે.

આવી ગણેશજીની મૂર્તિ : ગણેશજી દરેક સ્વરૂપે શુભ છે, પરંતુ ધન અને સુખમાં આવતા અવરોધને દૂર કરવા માટે ઘરમાં નૃત્ય કરતી ગણેશજીની મૂર્તિ રાખવી ખૂબ જશુભ છે. તેને ઉત્તર-પૂર્વ દિશામાં એવી જગ્યાએ રાખો જ્યાંથી દરેકની નજર તેના પર વારંવાર પડે. જો તમારી પાસે મૂર્તિ નથી, તો તમે ચિત્ર પણ મૂકી શકો છો.

મા લક્ષ્મી અને કુબેર : તમારા ઘરમાં દેવી લક્ષ્મીની તસવીર અથવા મૂર્તિ ચોક્કસ હશે, પરંતુ ધનની વૃદ્ધિ માટે ઘરમાં લક્ષ્મીની સાથે કુબેરની મૂર્તિ અથવા તસવીર હોવી જોઈએ. કારણ કે લક્ષ્મી ધનનું સુખ આપે છે, પરંતુ આવક વિના ધનનું સુખ શક્ય નથી. આવક કુબેર પૂરી પાડે છે. આથી બંને એકબીજાના પૂરક ગણાય છે. કુબેર મહારાજ ઉત્તર દિશાના સ્વામી છે, તેથી તેમને હંમેશા ઉત્તર દિશામાં રાખો.

આ શંખ ઘરમાં રાખો : વાસ્તુ વિજ્ઞાન અનુસાર શંખમાં વાસ્તુ દોષોને દૂર કરવાની અદભૂત ક્ષમતા હોય છે. જ્યાં નિયમિતપણે શંખનો અવાજ સંભળાય છે, ત્યાં આસપાસની હવા પણ શુદ્ધ અને સકારાત્મક બને છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે, જે ઘરોમાં દેવી લક્ષ્મીના હાથમાં શંખ હોય છે, ત્યાં લક્ષ્મી સ્વયં નિવાસ કરે છે. આવા ઘરમાં ધન સંબંધિત સમસ્યાઓ ક્યારેય આવતી નથી.

એક નાળિયેર : નાળિયેરને લક્ષ્મીનું ઝાડ કહેવાય છે. શ્રી એટલે લક્ષ્મી, તેથી નારિયેળને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેમાંથી એક નારિયેળ ખૂબજ શુભ છે. જે ઘરમાં તેની નિયમિત પૂજા કરવામાં આવે છે, ત્યાં નકારાત્મક ઉર્જા રહેતી નથી. ધાર્મિક માન્યતાઓ અનુસાર, જેની પાસે નાળિયેર હોય છે, તેના પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે અને તેના જીવનમાં ક્યારેય કોઈ આર્થિક સંકટ આવતું નથી.

Back to top button