ગુજરાતટોપ ન્યૂઝ

પાટીલ જાય છે ? C.R.Patil ને લઈને કરેલા અરવિંદ કેજરીવાલના ટ્વિટથી ખળભળાટ

Text To Speech

આવનારી ગુજરાત વિધાસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી ભાજપને ટક્કર આપવા મેદાનમાં ઉતરી ગઈ છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વિનર અરવિંદ કેજરીવાલ 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. ગુજરાતમાં અનેક વાયદાઓ કરવામાં આવ્યા છે અને અનેક ગેરન્ટી આપ્યા બાદ હવે અરવિંદ કેજરીવાલે વધુ એક ધડાકો કર્યો છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ આમ આદમી પાર્ટીથી ખૂબ જ ડરી ગઈ છે. સૂત્રો પ્રમાણે, બહુ જલદી ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને હટાવાઈ શકે છે. શું ભાજપા આટલી બધી ડરી ગઈ છે ? આમ આદમી પાર્ટી આજકાલ માત્ર ગુજરાત પર ફોકસ કરી રહી છે. અરવિંદ કેજરીવાલ દર અઠવાડિયે ગુજરાત મુલાકાતે આવે છે અને અલગ અલગ ગેરન્ટી આપી લોકોને આકર્ષિત કરવાનો પ્રયત્ન કરે છે. આ વચ્ચે હવે સી.આર.પાટીલને લઈને ટ્વિટ કરતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. તો સાથે સાથે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ તેમજ હોમગાર્ડસના તમામ કર્મચારીઓની સમસ્યાનું આમ આદમી પાર્ટીની સરકાર બનવાના 1 મહિનાની અંદર જ નિરાકરણ લાવવાની પણ ગેરન્ટી આપવામાં આવી છે.

આ પણ વાંચો : Video : બુટલેગરો બન્યા બેફામ, પોલીસ જવાનો પર ચડાવી દીધી ગાડી

Back to top button