ધર્મ

શનિવારે શ્રાવણ માસની અમાસ : શું રહેશે હવે પછી તમારા ગ્રહોની ચાલ ? 

Text To Speech

27 ઓગસ્ટને શ્રાવણ માસનો છેલ્લો શનિવારે અમાસ છે. આ શનિવારના દિવસે અમાસ આવતી હોવાથી તેને શનિશ્વરી અમાસ પણ કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે, શનિશ્ચરી અમાસ પર બની રહેલા રાશિના જાતકો માટે શુભ રહશે. અને તેમના પર શનિદેવની વિશેષ કૃપા પણ રહેશે. કઈ-કઈ રાશિઓ પર રહેશે શનિદેવની કૃપા.

મેષ

મેષ રાશિમાં હાલ શનિનો ચાંદી પાયો છે અને જેના કારણે આ રાશિના જાતકો પર શનિદેવની કૃપા રહેશે. મેષ રાશિના જાતકો પોતાની હકારાત્મક છબી ઊભી કરવામાં સરળ રહેશે અને તેમના દ્વારા કરવામાં આવેલી મહેનતનું શુભ પરિણામ પ્રાપ્ત થશે. શનિદેવની કૃપાથી આવકમાં વૃદ્ધિના યોગ બનશે અને કાર્યક્ષેત્રે પ્રભાવ અને પ્રતાપ વધશે.

મિથુન

મિથુન રાશિ પર હાલ શનિની ઢૈય્યાનો પ્રભાવ છે પરંતુ હાલ ઉતરતી ઢૈય્યા હોવાથી શનિદેવ જતાં જતાં શુભ ફળ આપશે. આ દરમિયાન ધાર્મિક કાર્યોમાં વિશ્વાસ વધશે અને પ્રોફેશનલ લાઈફમાં કેટલીક સારી તક પ્રાપ્ત થઈ શકે છે. આ રાશિના બેરોજગાર યુવાનો જે રોજગારી શોધી રહ્યા છે તેમને શુભ ફળ મળવાની સંભવના છે.

કન્યા

શનિશ્વરી અમાસનો શુભ યોગ કન્યા રાશિના જાતકો પર પણ પડવાનો છે. આ રાશિના કુંવારા જાતકો માટે સારા માગા આવી શકે છે. આ રાશિના જે જાતકો ઘરથી દૂર જઈને અભ્યાસની યોજના બનાવી રહ્યા હોય તેમના માટે સારી તકની પ્રાપ્તિ થઈ શકે છે. જો તમે કોઈ રોકાણની યોજના બનાવી રહ્યા હો તો હકારાત્મક પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. ભૌતિક સુખ-સુવિધાનો આનંદ લેશો. આ દરમિયાન ધાર્મિક કાર્યો તરફ ઝુકાવ વધશે.

તુલા

આ રાશિના જાતકો પર પણ ઢૈય્યાની અસર છે પરંતુ ઉતરતી ઢૈય્યા તમારા જીવનની મુશ્કેલીઓને પણ દૂર કરશે. છેલ્લા થોડા સમયથી જે મુશ્કેલીઓ નડી રહી હતી તેમાંથી મુક્તિ મળશે અને સમાજમાં માન-સન્માન વધશે. આ રાશિના જે જાતકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના પર શનિદેવની કૃપા વરસશે.

મીન

મીન રાશિના જાતકો પર હાલ તાંબાનો પાયો છે અને શનિદેવની કૃપાથી આવનારા દિવસો સારા રહેશે. આ દરમિયાન મહેનતનું ફળ મળી શકે છે અને આર્થિક સ્થિતિ સુધરશે. નોકરી અને વેપાર કરતાં લોકોની પદોન્નતિ થશે અને કાર્યોમાં આવતી સમસ્યાઓ પણ દૂર થશે.

Back to top button