ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા આજથી ગુજરાત પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ

Text To Speech

AAP પાર્ટીના સંયોજક અને દિલ્લીનાં CM અરવિંદ કેજરીવાલ આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે સાથે જ DY.CM અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા પણ ઉપસ્થિત રહેશે. અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં પ્રેસ-કોન્ફરન્સ કરશે

અરવિંદ કેજરીવાલ આજથી ગુજરાત પ્રવાસે 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસ પર આવશે. તેમની સાથે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આવશે. સીબીઆઈએ શુક્રવારે સિસોદિયાના સત્તાવાર નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. ત્યાર બાદ આ બંને નેતાઓની ગુજરાતની આ પ્રથમ મુલાકાત છે. ગુજરાત માટે AAPએ અત્યાર સુધીમાં તેના 19 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

કેજરીવાલ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરશે

બે દિવસના પ્રવાસની વાત કરીએ તો અરવિંદ કેજરીવાલ આજ રોજ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. ત્યારબાદ હિંમતનગરમાં એક ટાઉનહોલ કાર્યક્રમમાં ગુજરાતની જનતા માટે એક અગત્યની જાહેરાત કરશે. 23 ઓગસ્ટે ભાવનગરમાં યુવાનો સાથે રોજગાર અને શિક્ષા સંવાદ પણ કરવામાં આવશે.

Back to top button