ગુજરાતચૂંટણી 2022

અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા કાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે

Text To Speech

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ તથા દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. પાર્ટી દ્વારા તેમનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતર્યા બાદ તેમના કાર્યક્રમની શરૂઆત થવાની છે.

અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ સંબોધશે, હિંમતનગરમાં ટાઉનહોલ કાર્યક્રમ

મુખ્યમંત્રી કેજરવાલ અને ઉપમુખ્યમંત્રી સિસોદિયા કાલે સવારે અમદાવાદ આવ્યા બાદ તેમના કાર્યક્રમની શરૂઆત થવાની છે. ત્યારે અમદાવાદમાં તેઓ અરવિંદ કેજરીવાલ તથા મનીષ સિસોદિયા એક પ્રેસ-કોન્ફરન્સમાં ભાગ લેશે ત્યારબાદ તેઓ હિંમતનગર જવા રવાના થશે. તેમના માટે હિંમતનગરમાં એક ટાઉનહોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં અરવિંદ કેજરીવાલ ગુજરાતની જનતા માટે એક અગત્યની ઘોષણા કરશે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલજી તથા મનીષ સિસોદિયાજી 23 ઓગસ્ટના રોજ ભાવનગરમાં યુવાનો સાથે રોજગાર અને શિક્ષા સંવાદ કરવાના છે.

Back to top button