અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

Video: હરિયાણામાં ગુજરાત પોલીસને અકસ્માત નડ્યો, ત્રણ કર્મચારીના સ્થળ પર મૃત્યુ થયા

Text To Speech

સિરસા, 26 માર્ચ 2025: સિરસામાં ભારત માલા ફોરેલન પર બુધવાર સવારે ગુજરાત પોલીસની ગાડી રસ્તા પર ઊભેલા એક વાહન સાથે ટકરાઈ ગઈ. આ દુર્ઘટનામાં ગુજરાત પોલીસના ત્રણ કર્મચારીઓના ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયા છે. જ્યારે અન્ય એકની હાલત ગંભીર છે.

માહિતી મળતાની સાથે જ NHAI ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બધાને સિવિલ હોસ્પિટલ લઈ ગઈ. ઘાયલોની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને, તેમને ભટિંડા રિફર કરવામાં આવ્યા છે. દરમિયાન, ડબવાલી પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને ગુજરાત પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો છે.

ડબવાલી પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં મૃતકોની ઓળખ પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામીત, હોમગાર્ડ રવિન્દ્ર અને ખાનગી ડ્રાઈવર કનુભાઈ ભરવાડ તરીકે થઇ હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે. અત્યાર સુધીની તપાસ દરમિયાન એવું બહાર આવ્યું છે કે તે બધા અમદાવાદ શહેર પોલીસના છે. હવે તે ક્યાં જતા હતા? પોલીસને આ અંગે કોઈ માહિતી મળી નથી.

અમદાવાદની રામોલ પોલીસ ગુજરાતથી કેસની તપાસ માટે પંજાબ જઈ રહી હતી, આ દરમ્યાન રસ્તામાં ગુજરાત પોલીસની કાર રોડની સાઈડમાં ઊભા ટ્રેઇલરની પાછળ ઘૂસી જતાં ત્રણ પોલીસકર્મીઓના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. મૃતકોની ઓળખ પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામીત, હોમગાર્ડ રવિન્દ્ર અને ખાનગી ડ્રાઈવર કનુભાઈ ભરવાડ તરીકે થઇ હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે. આ અકસ્માતમાં રામોલ પોલીસ મથકના પી.એસ.આઇ. જે પી સોલંકીને પણ ગંભીર ઈજા પહોંચી છે. અકસ્માતના પગલે પોલીસબેડામાં શોકનો માહોલ છે.

આ પણ વાંચો: UPમાં મેરઠ જેવી બીજી ઘટના: પત્નીએ પતિને મારવા માટે સોપારી આપી, હત્યારાની બહેને ભાંડો ફોડ્યો

Back to top button