ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડસ્પોર્ટસ

ચેમ્પિયન્સ ટ્રોફીની ICC સ્કવોડની જાહેરાત, રોહિત શર્મા આઉટ, પાક.નો પણ કોઈ ખેલાડી નહીં, જુઓ યાદી

Text To Speech

દુબઈ, 10 માર્ચ : ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું. આ મેચ 9 માર્ચે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. તેના એક દિવસ બાદ જ ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેની 12 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આમાં ઘણા ચોંકાવનારા નિર્ણયો લેવામાં આવ્યા છે. ચેમ્પિયન ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને ટીમમાં જગ્યા આપવામાં આવી નથી. જ્યારે યજમાન ટીમ પાકિસ્તાનનો પણ કોઈ ખેલાડી સામેલ નહોતો. આ ટુર્નામેન્ટમાં 8 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં માત્ર 3 ટીમમાંથી 12 સભ્યોની ટીમ પસંદ કરવામાં આવી હતી.

ભારતીય ટીમના 6 ખેલાડીઓનો ટીમમાં સમાવેશ

આ ત્રણ દેશો ભારત, ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન છે. આ ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં ભારતીય ટીમના છ ખેલાડીઓને જગ્યા મળી છે. આ ખેલાડીઓ છે વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલ. આ સિવાય રનર અપ ન્યુઝીલેન્ડની ટીમના 4 ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું છે. આ ખેલાડીઓ છે રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર અને મેટ હેનરી. આ ટીમની કમાન અથવા કેપ્ટનશિપ સેન્ટનરને સોંપવામાં આવી છે. જ્યારે અફઘાનિસ્તાનના 2 ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું છે. આ ખેલાડીઓ છે ઈબ્રાહિમ ઝદરાન અને અઝમતુલ્લા ઉમરઝાઈ.

પાકિસ્તાનના કોઈ ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો નથી

બીજી તરફ, પાકિસ્તાન આ ટુર્નામેન્ટનું યજમાન હતું. પરંતુ તેની ટીમનો એક પણ ખેલાડી ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં સામેલ નથી. પાકિસ્તાનની ટીમ 5 દિવસમાં એકપણ મેચ જીત્યા વિના ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. પાકિસ્તાન ઉપરાંત દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડના કોઈ ખેલાડીને પણ સ્થાન મળ્યું નથી.

ICC ની 12 સભ્યોની ચેમ્પિયન્સ ટ્રોફી ટીમ

રચિન રવિન્દ્ર, ઈબ્રાહિમ ઝદરાન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, અઝમતુલ્લા ઓમરઝાઈ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), મોહમ્મદ શમી, મેટ હેનરી, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલ.

આ પણ વાંચો :- શિકાગોથી દિલ્હી આવતી AI ફ્લાઈટ કેમ પરત ફરી? જાણો શું હતી ટેક્નિકલ ખામી, થયો આ ખુલાસો

Back to top button