ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દુષ્કર્મના આરોપી પાદરીની ધરપકડ કરવા મહિલાપંચનો આદેશઃ મહિલાને સુરક્ષા આપવા પણ માંગ

Text To Speech

નવી દિલ્હી, તા.7 માર્ય, 2025: પંજાબના પ્રખ્યાત પાદરી બજિંદર સિંહ સામે જાતીય સતામણીનો કેસ નોંધાયા બાદ રાષ્ટ્રીય મહિલા આયોગે આ ઘટનાની નોંધ લીધી છે. તેમણે આયોગને આ અંગે તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી હતી.પંજાબના કપુરથલાની 22 વર્ષીય મહિલાએ બજિંદર સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેણે પાદરી પર તેને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો અને જાતીય શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલા આયોગે પીડિતાને સુરક્ષા અને પાદરી બજિંદર સિંહની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી.

રાષ્ટ્રીય મહિલા આયોગે પંજાબના જલંધરમાં પાદરી બજિંદર સિંહ સામે કથિત જાતીય સતામણીની ફરિયાદ અંગેના મીડિયા અહેવાલોની નોંધ લીધી છે. પંચે તેમની ધરપકડ અને પીડિતાને સુરક્ષા પ્રદાન કરવા સહિત ભારતીય દંડ સંહિતા-2023 હેઠળ ઝડપી કાર્યવાહી કરવા વિનંતી કરી છે.

પોલીસે એસઆઈટીની રચના કરી

આ કેસની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (એસઆઈટી) ની રચના કરવામાં આવી છે. જલંધરના તાજપુર ગામમાં, બજિંદર સિંહ ‘ધ ચર્ચ ઓફ ગ્લોરી એન્ડ વિઝ્ડમ’ ના નામે એક ખ્રિસ્તી સતસંગનું આયોજન કરે છે. તેના વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.

બજિંદર સિંહનો જન્મ હરિયાણાના યમુનાનગર જિલ્લામાં થયો હતો. તેને હત્યાના કેસમાં જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. જેલમાં તેમણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. સિંહે પોતાના પર લગાવવામાં આવેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે.

શું છે મામલો?

28 ફેબ્રુઆરીના રોજ પંજાબના કપૂરથલા ખાતે એક મહિલાએ પાદરી બજિંદર સિંહ સામે કેસ દાખલ કર્યો હતો. મહિલાએ કહ્યું કે તે 2017 થી જલંધરના તાજપુર ગામમાં સત્સંગમાં ભાગ લેવા ગઈ હતી. 2020માં તે ચર્ચની ટીમનો ભાગ બની હતી. આ વર્ષે પાદરીએ મારો મોબાઇલ નંબર લીધો.

મહિલાએ આરોપ લગાવ્યો હતો કે ચેટ દરમિયાન પાદરી બજિન્દરે અયોગ્ય સંદેશા મોકલ્યા હતા અને તેને ઘણી વખત ફોન કર્યો હતો. વર્ષ 2022માં પાદરીએ ગંદી રીતે સ્પર્શ કરવાનો અને આલિંગન આપવાનો પણ પ્રયાસ કર્યો હતો. કોલેજ જતા સમયે તેનો પીછો પણ કરવામાં આવ્યો હતો. ફરિયાદમાં મહિલાએ એમ પણ કહ્યું હતું કે પાદરી બજિન્દરે કોઈને આ વિશે જણાવશે તો આખા પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી.

આ પણ વાંચોઃ ભાજપના નેતાએ તેમની જ સરકારને ગણાવી ભ્રષ્ટ, કહ્યું- મંત્રી પૈસા ગણવામાં વ્યસ્ત

Back to top button