15 વર્ષ જૂનાં વાહનોને પેટ્રોલ-ડીઝલ નહીં મળેઃ રાજધાની દિલ્હીનું પર્યાવરણ સુધારવા પગલાં જાહેર


નવી દિલ્હી, તા.1 માર્ચ, 2025ઃ દિલ્હીના પર્યાવરણ મંત્રી મંજિંદર સિંહ સિરસાએ શનિવારે કહ્યું કે રાષ્ટ્રીય રાજધાનીમાં પેટ્રોલ પંપ 31 માર્ચ પછી 15 વર્ષ જૂના વાહનોને પેટ્રોલ આપવાનું બંધ કરશે. રાષ્ટ્રીય રાજધાનીમાં વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લેવાના ઉપાયો અંગે ચર્ચા કરવા માટે અધિકારીઓ સાથેની બેઠક બાદ સિરસાએ જણાવ્યું હતું કે, સરકાર વાહનોના ઉત્સર્જન અને પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે કડક પગલાં લઈ રહી છે. આ બેઠકમાં જૂના વાહનો પર પ્રતિબંધ, ફરજિયાત એન્ટી સ્મોગ ઉપાય અને ઇલેક્ટ્રિક જાહેર પરિવહનને અપનાવવા સહિતના નિર્ણયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
મંજિંદર સિંહ સિરસાએ કહી આ વાત
બેઠક બાદ સિરસાએ કહ્યું, અમે પેટ્રોલ પંપ પર આવા ઉપકરણો લગાવી રહ્યા છીએ, જે 15 વર્ષથી જૂના વાહનોની ઓળખ કરશે અને તેમને ઇંધણ નહીં આપવામાં આવે. તેમણે કહ્યું કે દિલ્હી સરકાર કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયને આ નિર્ણયની જાણ કરશે. જૂના વાહનોને ઇંધણનો પુરવઠો મર્યાદિત કરવા ઉપરાંત, સિરસાએ જાહેરાત કરી હતી કે વાયુ પ્રદૂષણનું સ્તર ઘટાડવા માટે રાષ્ટ્રીય રાજધાનીમાં તમામ ઊંચી ઇમારતો, હોટલો અને વ્યાપારી સંકુલમાં ‘એન્ટી-સ્મોગ ગન’ સ્થાપિત કરવી ફરજિયાત રહેશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે દિલ્હીમાં જાહેર પરિવહનની લગભગ 90 ટકા સીએનજી બસો ડિસેમ્બર 2025 સુધીમાં દૂર કરવામાં આવશે અને તેના સ્થાને ઇલેક્ટ્રિક બસો આવશે, જે સ્વચ્છ અને ટકાઉ જાહેર પરિવહન તરફ સરકારના પ્રયાસોનો એક ભાગ છે.
#WATCH | Delhi Environment Minister Manjinder Singh Sirsa says, “…After 31st March, fuel will not be given to 15-year-old vehicles… There are some big hotels, some big office complexes, Delhi airport, big construction sites in Delhi. We are going to make it mandatory for all… pic.twitter.com/xQ2sgZjfri
— ANI (@ANI) March 1, 2025
ક્લાઉડ સીડિંગનો ઉપયોગ કરવામાં આવશે
આ જાહેરાતો વાયુ પ્રદૂષણ સામે લડવા માટે દિલ્હી સરકારના વ્યાપક પ્રયાસોના ભાગરૂપે કરવામાં આવી છે. તેમણે કહ્યું કે અમે આજે નક્કી કર્યું છે કે ક્લાઉડ સીડિંગ માટે અમને જે પણ પરવાનગીની જરૂર પડશે તે લઈશું અને અમે એ સુનિશ્ચિત કરીશું કે જ્યારે દિલ્હીમાં ગંભીર પ્રદૂષણ થશે ત્યારે ક્લાઉડ સીડિંગ દ્વારા વરસાદ થઈ શકે અને પ્રદૂષણને નિયંત્રિત કરી શકાય.
આ પણ વાંચોઃ સુનીતા વિલિયમ્સને આ બીમારીનો ખતરો, વાપસી પહેલા લોકો ટેન્શનમાં