રાષ્ટ્રપતિ શાસન લગાવ્યા બાદ મણિપુરમાં મળી મોટી સફળતા, જાણો વિગત

ઈમ્ફાલ, તા.27 ફેબ્રુઆરી, 2025: મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યા બાદ ગૃહ મંત્રાલયની કોશિશ રંગ લાવી રહી છે. તંત્ર તરફથી આત્મસમર્પણ અને લૂંટવામાં આવેલા હથિયાર પરત કરવાના આદેશ તથા અપીલની અસર જોવા મળી રહી છે. મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયાના 14 દિવસમાં મોટી સફળતા મળી છે.
ગુરુવારે આ અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે મણિપુરના 6 જિલ્લાઓમાં કુલ 104 શસ્ત્રો અને દારૂગોળો સુરક્ષા દળોને સોંપવામાં આવ્યો છે. મોટાભાગના શસ્ત્રો ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં સોંપવામાં આવ્યા હતા. આમાં 12 કાર્બાઇન મશીનગન અને મેગેઝિનનો પણ સમાવેશ થાય છે. રાજ્યપાલના આદેશ પછી ઘણા શસ્ત્રો સમર્પણ કરવામાં આવ્યા છે.
રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ લોકોને સાત દિવસની અંદર લૂંટાયેલા અને ગેરકાયદેસર રીતે રાખેલા શસ્ત્રો સ્વેચ્છાએ પોલીસને સોંપવા જણાવ્યું હતું. તેમણે ખાતરી આપી હતી કે આ સમયગાળા દરમિયાન શસ્ત્રો સોંપનારાઓ સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ સમયગાળો પૂરો થયા પછી, સુરક્ષા દળો કાર્યવાહી કરશે.
During search operation, the following items were recovered.
i.On 24.02.2025, 01(one) no. of Single Barrel Gun, 10(ten) nos. of .303 rifle ammunitions, 03(three) nos. of tear gas shell, 11(eleven) nos. of .32 bore ammunition from near the eastern end of Kiyamgei Bridge, Kiyamgei… pic.twitter.com/jhqiht5B5O— Manipur Police (@manipur_police) February 26, 2025
13 ફેબ્રુઆરીએ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું
મે 2023 થી, ઇમ્ફાલ ખીણના મેઇતેઈ લોકો અને આસપાસના પહાડી વિસ્તારોમાં રહેતા જૂથો વચ્ચે વંશીય હિંસામાં 250 થી વધુ લોકો માર્યા ગયા છે. હજારો લોકો બેઘર બન્યા છે. મુખ્ય પ્રધાન એન બિરેન સિંહે રાજીનામું આપ્યાના થોડા દિવસો પછી પૂર્વોત્તર રાજ્યમાં રાજકીય અનિશ્ચિતતા ઊભી થઈ હતી. કેન્દ્ર સરકારે ૧૩ ફેબ્રુઆરીએ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદ્યું હતું. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક જાહેરનામા અનુસાર, મણિપુર વિધાનસભા, જેનો કાર્યકાળ 2027 સુધી છે, તેને સસ્પેન્ડ કરવામાં આવી છે.
સીએમ એન બિરેને 9 ફેબ્રુઆરીએ રાજીનામું આપ્યું
મણિપુરના મુખ્ય પ્રધાન એન બિરેન સિંહે 9 ફેબ્રુઆરીએ રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. રાજ્યમાં 21 મહિનાથી ચાલી રહેલી હિંસાને કારણે બિરેન સિંહ ઘણા દબાણમાં હતા. વિપક્ષી પક્ષો પણ આ મુદ્દે એનડીએ પર સતત સવાલ ઉઠાવી રહ્યા હતા. રાજીનામું આપવાનો નિર્ણય લેતા પહેલા, બિરેન સિંહે રવિવારે સવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમણે રાજીનામું આપ્યું હતું.
આ પણ વાંચોઃ પક્ષી વિવિધતા-સંરક્ષણમાં ગુજરાત અગ્રેસર, નળ સરોવર બન્યું હોટસ્પોટ