રોહિત શર્મા અને મોહમ્મદ શમી આગલી મેચ રમશે? ફિટનેસ વિશે મોટી અપડેટ

HD ન્યુઝ ડેસ્ક : ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ક્રિકેટ ટીમનું શાનદાર પ્રદર્શન જારી રહ્યું છે. પોતાની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ બીજી મેચમાં યજમાન પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું. સતત 2 જીત બાદ ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચવાની ખૂબ જ નજીક છે. જો કે ગ્રુપ સ્ટેજમાં ટીમ ઈન્ડિયાને હજુ 2 માર્ચે ન્યુઝીલેન્ડ સામે મેચ રમવાની છે. ટીમ ઈન્ડિયા હવે સતત ત્રીજી મેચ જીતવાની કોશિશ કરશે જેથી કરીને તે પોતાના ગ્રુપ-Aમાં ટોપ પર રહીને સેમીફાઈનલની ટિકિટ મેળવી શકે.
પાકિસ્તાન સામેની જીત બાદ ભારતીય કેમ્પમાં ખુશીની લહેર છે પરંતુ કેટલાક ખેલાડીઓની ફિટનેસ પણ ચિંતાનું કારણ બની રહી છે. ભારત-પાકિસ્તાન મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને ફાસ્ટ બોલર મોહમ્મદ શમી થોડી મુશ્કેલીમાં જોવા મળ્યા હતા. બંને થોડા સમય માટે મેદાનની બહાર પણ ચાલ્યા ગયા હતા, ત્યારપછી સવાલો ઉઠવા લાગ્યા કે શું બંને ખેલાડીઓ સંપૂર્ણ રીતે ફિટ છે કે નહીં?
અય્યરે રોહિત અને શમીની ફિટનેસ અંગે અપડેટ આપી હતી
પાકિસ્તાન સામે બોલિંગ કરતી વખતે શમીને થોડી તકલીફ પડી અને ફિઝિયોને મેદાનમાં આવવું પડ્યું. શમી થોડો સમય મેદાનની બહાર રહ્યો. રોહિત પણ લાંબા સમયથી મેદાન પર જોવા મળ્યો ન હતો. એવું લાગી રહ્યું હતું કે જાણે રોહિતને તેના હેમસ્ટ્રિંગમાં કોઈ સમસ્યા છે. આ દરમિયાન ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યરે કેપ્ટન રોહિત શર્મા અને ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની ફિટનેસને લઈને મોટું અપડેટ આપ્યું છે.
મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં શ્રેયસ અય્યરને જ્યારે બંને ખેલાડીઓની ફિટનેસ અપડેટ વિશે પૂછવામાં આવ્યું તો તેણે ખુલાસો કર્યો કે રોહિત કે શમી બંનેમાંથી કોઈને કોઈ સમસ્યા નથી. અય્યરે કહ્યું કે વાસ્તવમાં આવું નથી. તેણે બંને સાથે થોડીવાર વાત કરી. તેને નથી લાગતું કે બંને ખેલાડીઓને કોઈ સમસ્યા છે.
શું ભારત હવે ન્યુઝીલેન્ડ સામે ટકરાશે?
ઉલ્લેખનીય છે કે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 બાદ રોહિતે પોતાની ફિટનેસ પર ઘણી મહેનત કરી છે. તે જ સમયે, મોહમ્મદ શમી એક વર્ષથી વધુ સમય પછી ટીમ ઇન્ડિયા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી ગ્રુપ સ્ટેજની મેચમાં બંને ખેલાડીઓ કેવું પ્રદર્શન કરે છે.
આ પણ વાંચો : ફ્રાંસમાં રશિયાના દૂતાવાસમાં વિસ્ફોટ, મોસ્કોએ કહ્યું- આતંકી હુમલાનો સંકેત