ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં વાહનચાલકો બેફામ, બે વર્ષમાં હિટ એન્ડ રનની 739 ઘટનામાં 345ના મૃત્યુ

Text To Speech
  • અમદાવાદ ગ્રામ્યથી 228 વ્યક્તિના મૃત્યુ થયા છે
  • હિટ એન્ડ રન મામલે અમદાવાદ શહેરમાંથી 88 લોકોની ધરપકડ કરાઈ
  • કુલ 408 વ્યક્તિ હજુ સુધી પોલીસ દ્વારા ઝડપાયા નથી

ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટના દરરોજ બની રહી છે. જેમાં અમદાવાદ જેવા શહેરમાં માર્ગ અકસ્માત સાથે હિટ એન્ડ રનની ઘટનામાં વધારો થયો છે. જેમાં બેફામ બનેલા વ્હિકલ ચાલકો આડેધડ વાહન હંકારી લોકોનો જીવ લઇ રહ્યાં છે.

બેફામ ઝડપે હંકારતા વાહનચાલકો પર અંકૂશ મેળવવામાં ટ્રાફિક પોલીસ વિભાગ નિષ્ફળ

આંકડા જણાવે છે કે બેફામ ઝડપે હંકારતા વાહનચાલકો પર અંકૂશ મેળવવામાં ટ્રાફિક પોલીસ વિભાગ નિષ્ફળ રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં જ હિટ એન્ડ રનથી 345 વ્યક્તિના મૃત્યુ થયાનું સામે આવ્યું છે.

અમદાવાદ ગ્રામ્યથી 228 વ્યક્તિના મૃત્યુ થયા છે

પહોલી જાન્યુઆરી 2023થી 31મી ડિસેમ્બર 2024 દરમિયાન અમદાવાદ શહેરમાં 344, અમદાવાદ ગ્રામ્યમાં 395 હિટ એન્ડ રનના બનાવ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરથી 117, અમદાવાદ ગ્રામ્યથી 228 વ્યક્તિના મૃત્યુ થયા છે. આ સ્થિતિએ અમદાવાદ જિલ્લામાં હિટ એન્ડ રનથી 345 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.

હિટ એન્ડ રન મામલે અમદાવાદ શહેરમાંથી 88 લોકોની ધરપકડ કરાઈ

હિટ એન્ડ રન મામલે અમદાવાદ શહેરમાંથી 88, ગ્રામ્યમાંથી 243 એમ કુલ 331 ધરપકડ કરાઈ છે. જેમાંથી અમદાવાદ શહેરમાંથી 344, ગ્રામ્યમાંથી 395 સામે પોલીસ કેસ કરાયા છે. બે વર્ષના આ સમયગાળામાં અમદાવાદ શહેરમાંથી 256, ગ્રામ્યમાંથી 152 એમ કુલ 408 વ્યક્તિ હજુ સુધી પોલીસ દ્વારા ઝડપાયા નથી.

આ પણ વાંચો: ગુજરાતમાં હૃદય સાથે શ્વાસની બીમારીના દર્દીઓમાં વધારો, આંકડો જાણી દંગ રહેશો

Back to top button