નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડ પાછળનું અસલી કારણ, આ કારણોસર અફરાતફરી મચી ગઈ

નવી દિલ્હી, 16 ફેબ્રુઆરી 2025: નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શનિવાર મોડી રાતે ધક્કામુક્કી અને બાગદોડ જેવી ઘટનામાં કમસે કમ 18 લોકોના મૃત્યુ થયા છે અને ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલ અને લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજમાં દાખલ કરાવ્યા છે. ભાગદોડમાં જીવ ગુમાવનારા લોકોમાં 9 મહિલાઓ, 4 પુરુષ અને 5 બાળકો સામેલ છે. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર પ્રયાગરાજ મહાકુંભ જવા માટે મુસાફરોની ભારે ભીડ સાંજથી જ થવા લાગી હતી. તેમ છતાં પણ પ્રશાસને સમય રહેતા વ્યવસ્થા ઠીક કરી નહીં અને ક્રાઉડ મેનેજ તરફ ધ્યાન આપ્યું જ નહીં.
કેટલાય પ્રત્યક્ષદર્શીઓએ આ ભયાનક દુર્ઘટના અંગે વાત કરતા જણાવે છે કે, સ્ટેશનના તમામ પ્લેટફોર્મ્સ પર ભીડ તો બહુ વધારે હતી, પણ પ્લેટફોર્મ નંબર 12,13,14 અને 15 પર સ્થિતિ બહુ ભયંકર હતી. ભાગદોડની સ્થિતિમાં રેલવે દ્વારા ટ્રેનોના સ્ટોપને લઈને વારંવાર પ્લેટફોર્મ નંબર બદલવાની જાહેરાત કરવાના કારણે આ સ્થિતિ થઈ હતી. ડીસીપી રેલવે, કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યું છે કે પ્રયાગરાજ એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 14 પર ઊભી હતી. આ ટ્રેન પકડવા માટે મુસાફરોને ભારે ભીડ પ્લેટફોર્મ પર હતી. સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસ અને ભુવનેશ્વર રાજધાની મોડી ચાલી રહી હતી. આ ટ્રેનોના યાત્રી પણ પ્લેટફોર્મ નંબર 12,13 અને 14 પર હતી.
ડીસીપી મલ્હોત્રાએ જણાવ્યું કે, અમને ભીડ થશે તેવી આશંકા તો હતી, પણ આ બધું જ થોડી સેકન્ડમાં થઈ ગયું.રેલવે દ્વારા ઘટનાની તપાસ થશે. જવાબદાર કર્મચારીઓ અને અધિકારીઓ સાથે પૂછપરછ બાદ અમે ઘટના પાછળના યોગ્ય કારણ જાણી શકાય. પ્રાપ્ત વિગતો અનુસાર નવી દિલ્હી સ્ટેશન પર દર કલાકે રેલવેએ 1500 જનરલ ટિકિટ વેચી છે. આ જ કારણ છે કે ભીડ બેકાબૂ થઈ ગઈ હતી. પ્લેટફોર્મ નંબર 14 અને 16ના એસ્કેલેટર પાસે ધક્કામુક્કી જેવી ઘટના થઈ હતી. ભારતીય રેલવેએ ભાગદોડની વાતને અફવા ગણાવીને ફગાવી દીધી અને નવી દિલ્હી રેલવે સ્ટેશન પર બનેલી સ્થિતિને ભાગ જેવી સ્થિતિ ગણાવી. જો કે બાદમાં રેલવેએ પુષ્ટિ કરી કે અજાણી સંખ્યામાં લોકો ઘાયલ થયા અને તેમને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા. મોતની પુષ્ટિ એલએનજેપી હોસ્પિટલે કરી છે, જ્યાં ઘાયલોને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.
નાસભાગમાં મૃત્યુ પામેલાઓમાં 9 મહિલાઓ, 5 બાળકો અને 4 પુરુષોનો સમાવેશ થાય છે.
1. આહા દેવી, પતિ રવિન્દી નાથ, બક્સર બિહાર, ઉંમર 79 વર્ષ
2. પિંકી દેવી, પતિ-ઉપેન્દ્ર શર્મા, સંગમ વિહાર દિલ્હી, ઉંમર 41 વર્ષ
3. શીલા દેવી, પતિ- ઉમેશ ગીરી, સરિતા વિહાર દિલ્હી, ઉંમર 50 વર્ષ
4. વ્યોમ, પિતા-ધરમવીર, બવાના દિલ્હી, ઉંમર 25 વર્ષ
5. પૂનમ દેવી, પતિ-મેઘનાથ, સારણ બિહાર, ઉંમર 40 વર્ષ
6. લલિતા દેવી, પતિ- સંતોષ, પરણા બિહાર, ઉંમર 35 વર્ષ
7. સુરુચી, પિતા-પુત્રી મનોજ શાહ, મુઝફ્ફરપુર બિહાર, ઉંમર 11 વર્ષ
8. કૃષ્ણા દેવી, પતિ- વિજય શાહ, સમસ્તીપુર બિહાર, ઉંમર 40 વર્ષ
9. વિજય સાહ- પિતા- રામ સરૂપ સાહ, સમસ્તીપુર બિહાર, ઉંમર 15 વર્ષ
10. નીરજ, પિતા- ઈન્દ્રજીત પાસવાન, વૈશાલી બિહાર, ઉંમર 12 વર્ષ
11. શાંતિ દેવી, પતિ- રાજ કુમાર માંઝી, નવાદા બિહાર, ઉંમર 40 વર્ષ
12. પૂજા કુમાર, પિતા- રાજ કુમાર માંઝી, નવાદા બિહાર, ઉંમર 8 વર્ષ
13. સંગીતા મલિક, પતિ- મોહિત મલિક, ભિવાની હરિયાણા, ઉંમર 34 વર્ષ
14. પૂનમ, પતિ-વીરેન્દ્ર સિંહ, મહાવીર એન્ક્લેવ, ઉંમર 34 વર્ષ
15. મમતા ઝા, પતિ- વિપિન ઝા, નાંગલોઈ દિલ્હી, ઉંમર 40 વર્ષ
16. રિયા સિંહ, પિતા- ઓપિલ સિંહ, સાગરપુર દિલ્હી, ઉંમર 7 વર્ષ
17. બેબી કુમારી, પિતા-પ્રભુ સાહ, બિજવાસન દિલ્હી, ઉંમર 24 વર્ષ
18. મનોજ, પિતા- પંચદેવ કુશવાહા, નાંગલોઈ દિલ્હી, ઉંમર 47 વર્ષ
આ પણ વાંચો: નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં મૃતકોના પરિવાર માટે વળતરની જાહેરાત, જોઈ લો મૃતકોની યાદી