ટ્રેન્ડિંગનેશનલમહાકુંભ 2025

મહાકુંભમાં બન્યો મહારેકોર્ડ: પ્રયાગરાજ એરપોર્ટ પર 650થી વધુ ચાર્ટર્ડ વિમાન લેન્ડ

Text To Speech

પ્રયાગરાજ, 15 ફેબ્રુઆરી: 2025: પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભનું આયોજન વધુ ભવ્ય રીતે કરવામાં આવ્યું છે, જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે. મહાકુંભમાં દેશ-વિદેશથી લોકો આસ્થાની ડૂબકી લગાવવા માટે આવી રહ્યાં છે. મહાકુંભે દેશ-દુનિયાના ધનવાન અને સામર્થ્યવાન લોકોનું ધ્યાન પણ આકર્ષિત કર્યું છે. જેથી આ લોકો પોતાના પ્રાઇવેટ જેટ અથવા ચાર્ટર્ડથી મહાકુંભ પહોંચી આ અવિસ્મરણીય પળના સાક્ષી બની રહ્યાં છે.

ધર્મ અને ભક્તિ સાથે જોડાયેલો આ મહાકુંભમાં હવે શ્રીમંત લોકોનું આગમન પણ જોવા મળી રહ્યું છે. અહીં અનેક ઉદ્યોગપતિઓ, રાજકીય નેતાઓ અને જાણીતા વ્યક્તિઓ પોતાના ખાનગી જેટ અને ચાર્ટર્ડ વિમાનો દ્વારા અહીં પહોંચી રહ્યા છે. પ્રયાગરાજ એરપોર્ટ પર મહાકુંભને કારણે ચાર્ટર્ડ અને ખાનગી જેટ વિમાનોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી છે, જેના કારણે હવે એરપોર્ટ પર ભારે ભીડ જોવા મળી રહી છે. પાર્કિંગની મુશ્કેલીઓ ઉપરાંત, ફ્લાઇટ લેન્ડિંગ માટે પણ રાહ જોવી પડી રહી છે.

11 ફેબ્રુઆરીએ એક જ દિવસે 71 ચાર્ટર્ડ ફ્લાઇટ્સ ઉતરવાના રેકોર્ડ સાથે એરપોર્ટે નવા માપદંડ સ્થાપ્યા છે, જ્યારે 8 ફેબ્રુઆરીથી દરરોજ 60થી વધુ ચાર્ટર્ડ અને ખાનગી વિમાનો પહોંચી રહ્યા છે. અત્યાર સુધીમાં 650થી વધુ ચાર્ટર્ડ ફ્લાઇટ્સ પ્રયાગરાજ એરપોર્ટ પર લેન્ડ થઈ ચૂકી છે, સેલિબ્રિટી, વિદેશી રાજકારણ અને ફિલ્મ તેમજ મનોરંજન સાથે જોડાયેલાં હજારો લોક ચાર્ટર્ડથી આવીને મહાકુંભમાં સ્નાન કરી ચુક્યા છે. જે મહાકુંભ દરમિયાન એર ટ્રાફિકના વધતા મહત્વને દર્શાવે છે.

આ પણ વાંચો..જમ્મુ-કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા 3 સરકારી કર્મચારીઓ સસ્પેન્ડ

Back to top button