ગુજરાતટ્રેન્ડિંગ

નડિયાદ: મંજીપુરા વિસ્તારમાં દેશી દારૂ પીધા પછી 3 લોકોના શંકાસ્પદ મૃત્યુ

Text To Speech
  • લઠ્ઠાકાંડ જેવી ઘટના બનતાં પોલીસ તંત્રમાં દોડધામ
  • એક બુટલેગરની અટકાયત કરી હોવાનું પણ બહાર આવ્યું
  • મૃતકોનું નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું

નડિયાદના મંજીપુરા વિસ્તારમાં, દેશી દારૂ પીધા પછી ત્રણ લોકોના શંકાસ્પદ મોત થયા છે. સ્થાનિક સૂત્રો મળતી માહિતી મુજબ નડિયાદની જય મહારાજ સોસાયટી પાસે દારૂ પીધાના કારણે ત્રણ જણાના મોત થવાનો મામલો સામે આવ્યો છે.

લઠ્ઠાકાંડ જેવી ઘટના બનતાં પોલીસ તંત્રમાં દોડધામ

નડિયાદના પોલીસ સૂત્રો ધ્વારા મળેલ માહિતી મુજબ, મૃત્યુ પામેલાઓને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે. નડિયાદ શહેરમાં લઠ્ઠાકાંડ જેવી ઘટના બનતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

અડ્ડા પરથી દસથી પંદર લોકોએ દેશી દારૂ પીધો હોવાનું અનુમાન

દેશી દારૂના અડ્ડા પર દારૂ પીધા બાદ ત્રણ વ્યકિતના મોત થયા હતા. આ અડ્ડા પરથી દસથી પંદર લોકોએ દેશી દારૂ પીધો હોવાનું અનુમાન છે. આ તમામ મૃતકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે, મૃત્યુઆંક વધવાની સંભાવના છે. આ ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલમાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં એક બુટલેગરની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

એક બુટલેગરની અટકાયત કરી હોવાનું પણ બહાર આવ્યું

3 લોકોના મોતની તપાસ માટે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ, સ્થાનિક LCB, SOG, DYSP, અને IBની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. નડિયાદ જવાહરનાગર સોસાયટીમાં જય મહારાજ સોસાયટી પાસે, મંજીપુરા રોડ ફાટક પાસે પોલીસની ગાડીઓ પહોંચી ગઈ હતી. એક બહેરો મૂંગો વ્યક્તિ પણ આમાં ભોગ બનવાની આશંકા છે અને એક પાણી પૂરી વેચનારનું પણ મોત થયું છે. શહેરના એક બુટલેગરની અટકાયત કરી હોવાનું પણ બહાર આવ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદ: કાલુપુરની યુવતી ડિજિટલ એરેસ્ટનો ભોગ બની

Back to top button