દિલ્હી ચૂંટણી : સીલમપુરમાં બુરખો પહેરી મતદાન કરવા મામલે માથાકૂટ, આપ-ભાજપ આવ્યા સામસામે


દિલ્હી, 5 ફેબ્રુઆરી : દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. તમામ 70 સીટો પર લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ દરમિયાન કેટલીક જગ્યાએ હંગામાના સમાચાર છે. સીલમપુર, જંગપુરા અને ગ્રેટર કૈલાશમાં વહીવટીતંત્ર અને નેતાઓ વચ્ચે માથાકૂટ જોવા મળી રહી છે.
સીલમપુરમાં બુરખાને લઈને હંગામો
સીલમપુરમાં બુરખામાં મતદાનને લઈને હંગામો થયો હતો. ભાજપે આરોપ લગાવ્યો હતો કે બુરખાની આડમાં ખોટા વોટ નાખવામાં આવી રહ્યા છે. હંગામો એટલો વધી ગયો કે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા. ભાજપનો આરોપ છે કે બ્રહ્મપુરીની આર્યન પબ્લિક સ્કૂલમાં બનેલા બૂથ પર નકલી મતદાન થઈ રહ્યું છે. સ્થિતિને કાબુમાં લેવા માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
દિલ્હી પોલીસે બાદમાં કહ્યું કે નકલી મત આપવાનો આરોપ સાબિત થયો નથી અને કહ્યું કે બુરખાને હટાવીને બૂથ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગ્રેટર કૈલાશમાં AAP ઉમેદવાર સૌરભ ભારદ્વાજે પોલીસ પર મોટા આરોપો લગાવ્યા છે. સૌરભનો આરોપ છે કે લોકોને વોટ આપવા આવતા રોકવામાં આવી રહ્યા છે.
મતદારોને રોકવા બેરિકેડીંગ – ભારદ્વાજ
ભારદ્વાજે આરોપ લગાવ્યો કે પોલીસે રોડ પર બેરિકેડ લગાવી દીધા છે જેના કારણે લોકોને આવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે સૌરભ ભારદ્વાજે પોલીસ સાથે બોલાચાલી કરી હતી. બીજી તરફ સૌરભ ભારદ્વાજના આરોપ પર પોલીસનું કહેવું છે કે તેઓ નિયમ પ્રમાણે કામ કરી રહ્યા છે. પોલીસે કહ્યું કે ચૂંટણી પંચના નિર્દેશો અનુસાર બધું કરવામાં આવી રહ્યું છે, કારણ કે માર્ગદર્શિકાનું પાલન કરવું જરૂરી છે.
મનીષ સિસોદિયાની સીટ પર પણ હંગામો
AAP નેતા મનીષ સિસોદિયાની સીટ જંગપુરા પર પણ વિવાદના સમાચાર છે. જંગપુરા વિસ્તારના સરાય કાલે ખાનમાં પોલીસ અને સિસોદિયા વચ્ચે બોલાચાલી થઈ હતી. વાસ્તવમાં સિસોદિયાએ બીજેપી પર પૈસાની વહેંચણીનો આરોપ લગાવ્યો, ત્યારપછી બીજેપી અને AAP કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા. આ દરમિયાન સિસોદિયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :- રાજ્યમાં 8મી ફેબ્રુઆરી સુધીમાં તમામ 3.73 લાખ ખેડૂતોની મગફળીની ખરીદી પૂર્ણ કરાશે