ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી, ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર લગાવી રોક

Text To Speech

નવી દિલ્હી, 20 જાન્યુઆરી 2025: માનહાનિના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર આગામી આદેશ સુધી વચગાળાની રોક લગાવી દીધી છે.

જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મેહતાની પીઠે કેસને રદ કરવાની માગવાળી ગાંધીની અરજી પર ઝારખંડ સરકાર અને ફરિયાદકર્તા પાસેથી જવાબ માગ્યો છે.

તો વળી માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમ કોર્ટે ઝારખંડ સરકાર અને ફરિયાદકર્તા ભાજપ કાર્યકર્તા નવીન ઝાને નોટિસ મોકલી છે. અરજીમાં ઝારખંડ હાઈકોર્ટે 22 ફેબ્રુઆરી 2024ના ચુકાદાને પડકાર આપ્યો હતો. હાઈકોર્ટે માનહાનિ કેસને રદ કરવાની ના પાડી દીધી હતી. હકીકતમાં જોઈએ તો, ભાજપ કાર્યકર્તા નવીન ઝાએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિની ફરિયાદ નોંધાવી હતી.

2019ની લોકસભા ચૂંટણી પ્રચાર દરમ્યાન રાહુલ ગાંધી પર ગૃહમંત્રી અમિત શાહને હત્યારા કહેવાનો આરોપ છે.

આ પણ વાંચો: ભારતના આ રાજ્યમાં 7000 વિદ્યાર્થીઓએ એજ્યુકેશન લોન લઈ ભરી શક્યા નહીં, બેન્કે ડિફોલ્ટર જાહેર કર્યા

Back to top button