ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહાકુંભમાં યોજાશે CM યોગીની કેબિનેટ બેઠક, સામે આવી તારીખ

Text To Speech

પ્રયાગરાજ, 18 જાન્યુઆરી : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મહાકુંભમાં તેમની કેબિનેટ બેઠક યોજશે. મળતી માહિતી મુજબ યોગી કેબિનેટની બેઠક 22 જાન્યુઆરીએ થશે. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી. વરિષ્ઠ સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તમામ મંત્રીઓ બેઠકમાં ભાગ લેશે. તેમણે કહ્યું કે આ બેઠકમાં ઉત્તર પ્રદેશના વિકાસ સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવી શકે છે.

કેબિનેટ બેઠક પહેલા સંગમમાં સ્નાન કરાશે

સૂત્રોએ જણાવ્યું કે, બેઠક પહેલા મુખ્યમંત્રી અને મંત્રીઓ સંગમમાં સ્નાન પણ કરી શકે છે. વર્ષ 2019ની શરૂઆતમાં યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની પ્રથમ સરકારમાં 29 જાન્યુઆરીએ કુંભ દરમિયાન પ્રયાગરાજમાં કેબિનેટની પ્રથમ બેઠક મળી હતી. મહાકુંભ 13 જાન્યુઆરીથી શરૂ થયો છે અને 26 ફેબ્રુઆરી સુધી ચાલશે.

મહાકુંભમાં યુવા પોલીસ અધિકારીઓની તૈનાત

આ પહેલા શુક્રવારે સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે તેમની સરકારે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમીને પત્ર લખીને પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભના વિવિધ પાસાઓને સમજવા માટે અધિકારીઓને મોકલવા જણાવ્યું છે.

શુક્રવારે સાંજે લખનૌમાં કાલિદાસ માર્ગ 5 ખાતેના તેમના નિવાસસ્થાને વરિષ્ઠ પત્રકારો સાથે વાત કરતા આદિત્યનાથે કહ્યું, આ વખતે એક બાબત જે પ્રકાશમાં આવી છે તે પોલીસનું વર્તન છે. યુવા પોલીસ અધિકારીઓને તાલીમ આપ્યા પછી, તેઓએ તેમને મહાકુંભમાં ફરજ માટે તૈનાત કરવામાં આવ્યા છે

અમે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડેમીને પણ પત્ર લખીને આટલી મોટી ઘટનાને લગતા ભીડ વ્યવસ્થાપન અને અન્ય પરચુરણ પાસાઓનો અભ્યાસ કરવા યુવા અધિકારીઓને અહીં મોકલવા કહ્યું છે.

આ પણ વાંચો :- બજેટ 2025માં નવું આવકવેરા બિલ લાવવાની સરકારની તૈયારી! બદલાશે કાયદાઓ?

Back to top button