ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

‘રામાયણ’માં રાવણની એન્ટ્રી.. રણબીર કપૂરની ફિલ્મમાં આ સાઉથ સુપરસ્ટારે પોતાનો રોલ કર્યો કન્ફર્મ

  • તે એવું હશે કે દર્શકોને તેના પર ગર્વ થશે: સાઉથ સુપરસ્ટાર 

મુંબઈ, 23 ઓગસ્ટ: નિતેશ તિવારીની ફિલ્મ રામાયણની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મની ઘોષણા પછી, તેની સ્ટાર કાસ્ટ અને અન્ય વિશેની માહિતી ધીમે ધીમે બહાર આવી રહી છે. અત્યાર સુધી માત્ર રણબીર કપૂર અને સાઈ પલ્લવીના પાત્રોની પુષ્ટિ થઈ હતી જ્યારે અન્યના નામ માત્ર અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન દક્ષિણ અભિનેતા અને KGFના રોકી ભાઈ યશે નિતેશ તિવારીની રામાયણમાં તેની ભૂમિકાની પુષ્ટિ કરી છે. તે રાવણના રોલમાં જોવા મળશે. આ સિવાય યશે KGF 3 વિશે અપડેટ પણ આપ્યું છે. તેણે કહ્યું કે, તે એવું હશે કે દર્શકોને તેના પર ગર્વ થશે. તેણે કહ્યું કે, રાવણનો રોલ તેની કારકિર્દીનો સૌથી રોમાંચક રોલ છે.

યશે ચાહકોને આપ્યું હતું વચન

હવે અન્ય એક અભિનેતાએ તેના પાત્રની પુષ્ટિ કરી છે. ઘણા સમયથી ચર્ચા થઈ રહી હતી કે સાઉથ એક્ટર યશ આ ફિલ્મમાં રાવણનું પાત્ર ભજવશે. હવે અભિનેતાએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. આ દરમિયાન તેણે KGFના ત્રીજા ભાગ વિશે પણ વાત કરી. હોલીવુડ રિપોર્ટર સાથેની મુલાકાતમાં યશે કહ્યું કે, ‘KGF 3 ચોક્કસપણે બનશે, હું વચન આપું છું. પરંતુ અત્યારે હું બે પ્રોજેક્ટ્સ (‘ટોક્સિક’ અને ‘રામાયણ’) પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું. KGFના ડિરેક્ટર પ્રશાંત નીલ સાથે ચર્ચા ચાલી રહી છે, પરંતુ સમય યોગ્ય હોવો જોઈએ. અમે તેના વિશે વાત કરતા રહીએ છીએ. અમારી પાસે એક વિચાર છે અને તે મહાન છે પરંતુ જરૂર છે કે અમે તેના પર પૂરતું ધ્યાન આપીએ અને ફોકસ કરીએ.”

રોકી ભાઈના રોલમાં પરત ફરશે

યશે કહ્યું કે, તે ફ્રેન્ચાઈઝીની સફળતાને કેશ કરવા માટે કોઈ ઉતાવળમાં નથી, પરંતુ તેના બદલે તે ત્રીજી ફિલ્મને ચાહકો માટે વધુ વિશેષ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. તેણે કહ્યું કે, દર્શકોએ અમને ઘણું આપ્યું છે. અમે એવી ફિલ્મ બનાવવા માંગીએ છીએ જેના પર તેઓ ગર્વ કરી શકે. રોકી ભાઈનું પાત્ર ખૂબ લોકપ્રિય બન્યું છે અને તે સુનિશ્ચિત કરવા માંગે છે કે, આગામી હપ્તો તે વારસો ચાલુ રાખે.

રામાયણ વિશે યશે શું કહ્યું?

‘રામાયણ’માં તેની ભૂમિકા વિશે વાત કરતા તેણે કહ્યું કે, તે તેના માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેણે કહ્યું કે, ‘જો કેરેક્ટરને એક પાત્રની જેમ ટ્રીટ કરવામાં આવે… જો આજે આવું નહીં થાય તો ફિલ્મ નહીં બને. આ પ્રકારના બજેટ સાથે ફિલ્મ બનાવવા માટે તમારે તે પ્રકારના કલાકારોને સાથે લાવવાની જરૂર છે.

ફિલ્મના અન્ય પાત્રોની વાત કરવામાં આવે તો રણબીર કપૂર ‘રામ’ના રોલમાં જોવા મળશે અને રામાયણમાં સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં અભિનેતા સની દેઓલ હનુમાનના રોલમાં જોવા મળશે. આ સિવાય સુપર્ણખાના રોલ માટે કુબ્રા સેતનું નામ અને કૈકેયી માટે લારા દત્તાનું નામ બહાર આવી રહ્યું છે. આ સિવાય રવિ દુબે ‘લક્ષ્મણ’નું પાત્ર ભજવી શકે છે.

આ પણ જૂઓ: પુષ્પા 2નો બોક્સ ઓફિસ પર ધડાકો, રિલીઝ પહેલા જ 1085 કરોડની કરી લીધી કમાણી

Back to top button