ગુજરાતટ્રેન્ડિંગ

ભાવનગર-સોમનાથ હાઈવે પર ફરી ગોઝારો અકસ્માત, ટ્રક અને બાઈકની ટક્કરમાં બે લોકોએ જીવ ગુમાવ્યા

Text To Speech
  • ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક પર સવાર બે વ્યક્તિના કમકમાટી ભર્યા મોત થયા
  • ઘટનાને લઈને પીપાવાવ મરીન પોલીસ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી
  • 2 દિવસ પહેલા રાજુલાના ચારનાળા નજીક બાઈક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો

ભાવનગર-સોમનાથ હાઈવે પર ફરી ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં ટ્રક અને બાઈકની ટક્કરમાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમાં અમરેલીમાંથી પસાર થતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર આ અકસ્માત સર્જાયો છે.

ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક પર સવાર બે વ્યક્તિના કમકમાટી ભર્યા મોત થયા

ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક પર સવાર બે વ્યક્તિના કમકમાટી ભર્યા મોત થયા છે. આ ઘટનાને લઈને પીપાવાવ મરીન પોલીસ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. ઘટનામાં ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા નજીક ટ્રક ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેમાં બાઈક પર સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા.

2 દિવસ પહેલા રાજુલાના ચારનાળા નજીક બાઈક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો

ઉલ્લેખનીય છે કે વાહન ચાલકોમાં અવેરનેસના અભાવે વાંરવાર અકસ્માતની ઘટનાઓ વધી છે. ત્યારે 2 દિવસ પહેલા રાજુલાના ચારનાળા નજીક બાઈક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બે લોકોના મોત થયા હતા. જેમાં બે દિવસ પહેલા અમરેલી જિલ્લામાંથી પસાર થતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા નજીક અકસ્માત સર્જોય હતો. જેમાં મહુવા તરફથી પસાર થતી કારે રોંગ સાઈડમાં આવતા બાઇકને ટક્કર મારી હતી. જેમાં બાઈક પર સવાર બે વ્યક્તિના મોત થયા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં મોટા કૌભાંડનો પર્દાફાશ, રેશનિંગનું અનાજ બારોબાર વેચી માર્યું

Back to top button