ગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

સુરત: ઘરકંકાસથી દંપતીનો આવ્યો અંત: પત્નીની હત્યા કરી પતિએ કર્યો આપઘાત

Text To Speech

સુરત, 18 ઓકટોબર, સુરતમાં આપઘાતના બનાવોમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતમાં પતિ પત્ની વચ્ચે ચાલી આવેલ ઘરકંકાસનો ઝઘડો હત્યા અને આપઘાતમાં પરિવર્તિત થયો છે. જ્યાં પતિએ સૌપ્રથમ પત્નીને ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દીધી હતી. ત્યાર બાદ પોતે પણ હાથની નસ કાપી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ સમગ્ર ઘટનાના પગલે ડીંડોલી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.આ મામલે તપાસ કરતા તપાસ કરતા સામે આવ્યું કે, ઘરકંકાસમાં આવેશમાં આવીને પતિએ હત્યા અને આપઘાત કર્યો હતો.

દંપતી વચ્ચે નાના મોટા ઝગડા થવા એ સામાન્ય બાબત છે પરંતુ ઘણીવાર આ ઝગડા અને ઘર કંકાસથી કંટાળીને જોખમી પગલાં ભરે છે. તેવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી પ્રયોસા બ્લિસ રેસીડેન્સીમાં રહેતા 53 વર્ષીય રતન ગુરુદાસ નીમજે પોતાની જ પત્નીની હત્યા કરી દીધી હતી. પત્નીના પેટના ભાગે ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંકી ત્યારબાદ પોતાના હાથની નસ કાપી ગળે ફાંસો ખાઇને જીવન ચૂકાવી લીધું હતું. ગુરૂવારના રોજ બપોરના 12:00 વાગ્યાના સમય દરમિયાન ઘરે આવેલા રતન ગુરુદાસ નીમજેનો ઝગડો પોતાની પત્ની નંદાબેન જોડે થયો હતો. રતન ગુરુદાસ નીમજે હાલ કામ ધંધો ન કરતો હોવાના કારણે પત્ની નંદાબેન અવારનવાર તેની જોડે ઝઘડો કરી ઠપકો આપતા હતા. પતિ પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડાઓ થતા હતા

પતિ પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડાઓ થતા હતા

ડિંડોલી વિસ્તારમાં આવેલા પ્રિયોશા બેલીસમાં પ્રથમ માળે ફ્લેટમાં જ મૃતદેહ મળ્યા હતાં. મહિલાનો મૃતદેહ નીચે હતો જ્યારે પુરુષનો મૃતદેહ લટકતો હોવાથી પત્નીની હત્યા બાદ પતિએ આપઘાત કર્યાની આશંકા સેવવામાં આવી રહી હતી. બનાવ સમયે બંને વચ્ચે મોટો ઝઘડો થયો હતો. ઠપકાથી કંટાળી રતન નિમજે દ્વારા સૌપ્રથમ પોતાના પુત્રને કોલ કરી અને જણાવ્યું હતું કે, તારી માતા મને અવારનવાર માનસિક ત્રાસ આપે છે અને ઝઘડો કરે છે. જેથી હું કંટાળી તારી માતાની હત્યા કરી પોતે પણ આપઘાત કરી રહ્યો છું. તેમ કહી કોલ મૂકી દીધો હતો. આ બનાવને લઈને શહેરમાં ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો..સુરતમાં ભયંકર અકસ્માત સર્જાયો: લક્ઝરી બસ ડ્રાઈવરે એક બાદ એક 8 વાહનોને ઉડાવ્યા

Back to top button