ગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલ

વડોદરાની વિદિશાને 18 વર્ષ પહેલાં નરેન્દ્ર મોદીને કારણે મળ્યું હતું નવજીવનઃ જાણો સમગ્ર મામલો

  • ખુશી અને સ્મીતનું કારણ જ મોદી: નવજાત બાળકીને હ્રદયરોગની સારવાર માટે નરેન્દ્રભાઇ મોદીએ બેંગ્લુરુ મોકલતા મળ્યું નવજીવન
  • વડોદરાની વિદિશા નાયકને ૧૮ વર્ષ પહેલા વિશેષ કિસ્સામાં બેંગ્લુરુ સારવાર માટે મોકલી હતી
  • વિદિશા આજે સંપૂર્ણ તંદુરસ્તી સાથે ધોરણ – ૧૦માં અભ્યાસ સાથે ઇત્તર પ્રવૃત્તિ પણ સારી રીતે કરી રહી છે

વડોદરા, 9 ઓકટોબર, ૨૦૦૭નું વર્ષ વડોદરાના નાયક પરિવાર માટે બહુ કપરૂ રહ્યું હતું. ઠાકોરભાઇ હોસ્પિટલમાં દાખલ કરાયેલા વિદ્યાબેન નાયકને માત્ર ૧.૬ કિલોગ્રામ વજન ધરાવતી બાળકીનો જન્મ થયો હતો. દીકરના અવતરણને નાયક પરિવારે વધાવી તો લીધું પણ, બાળકીને તુરંત બાળકોના આઇસીયુમાં ખસેડવી પડી. તબીબી પરિક્ષણ થતાં માલૂમ પડ્યું કે, બાળકીને હ્રદયમાં એક વેઇન જ નથી. ત્યારે એ નવજાત બાળકીને હ્રદયરોગની સારવાર માટે નરેન્દ્રભાઇ મોદીએ બેંગ્લુરુ મોકલતા નવજીવન મળ્યું છે. વિદિશા આજે સંપૂર્ણ તંદુરસ્તી સાથે ધોરણ – ૧૦માં અભ્યાસ સાથે ઇત્તર પ્રવૃત્તિ પણ સારી રીતે કરી રહી છે.

બાળકીના પિતા સુરેશભાઇ નાયક અને પરિવારે હોસ્પિટલ બદલી. કારેલીબાગમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં બાળકી અને તેની માતાને દાખલ કર્યા. નાયક પરિવાર ઉપર આફત આવી પડી હતી. બાળકી કુદરત સાથે સંઘર્ષ કરી રહી હતી. આવા જ સંજોગોમાં જ બાળકીનું નામ વિદિશા રાખવામાં આવ્યું. વિદિશાની સ્થિતિની વાત તત્કાલીન નરેન્દ્રભાઇ મોદીની પાસે પહોંચી હતી. બેટી બચાવો, બેટી પઢાવોના પ્રણેતા નરેન્દ્રભાઇ મોદીએ વિદિશાની સારવાર શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ વિશેષ કિસ્સામાં સારવાર કરાવવા માટે આરોગ્ય વિભાગને સૂચના આપી. એક નવજાત બાળકીને બચાવવા માટેનો આ નિર્ણય મહત્વપૂર્ણ રહ્યો હતો.

આરોગ્ય વિભાગ દ્વારા વિદિશાની સારવાર સરકારી ખર્ચે કરાવવાનો નિર્ણય થતાંની સાથે જ તેને અમદાવાદ સ્થિત યુ. એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ત્યાં વિદિશાની સારવાર શરૂ થઇ. તજજ્ઞ તબીબો દ્વારા વિદિશાના હ્રદયનું પરિક્ષણ કરવામાં આવ્યું. પણ, માત્ર કેટલાક માસની બાળકીના હ્રદયની સારવાર ત્યાં થઇ શકે એમ નહોતી. હવે શું કરવું ? નાયક દંપતી માટે યક્ષપ્રશ્ન થયો. વિદિશાની સ્થિતિ અંગેની વિગતો ફરી શ્રી નરેન્દ્રભાઇ મોદી પાસે પહોંચી. સારવાર ક્યાં થઇ શકે એમ છે ? એની વિગતો જાણી તો ખબર પડી કે બેંગ્લુરુની નારાયણ હ્રદયાલયમાં સારવાર થઇ શકે એમ છે. ત્યારબાદ પીએમ મોદીએ તુરંત વિદિશાની સારવાર સરકારી ખર્ચે કરાવવા માટે મંજૂરી આપી.

નાયક દંપતી માટે બેંગ્લુરુની ટિકિટ આવી ગઇ. તેઓ નાની એવી વિદિશાની લઇ નારાયણ હ્રદયાલય પહોંચ્યા. આ હોસ્પિટલના ચેરમેન ડો. દેવીપ્રસાદ શેટ્ટી દેશના જાણિતા કાર્ડિઓલોજીસ્ટ છે. તેમના દ્વારા વિદિશાની સારવાર શરૂ કરવામાં આવી. આ સારવારનો ખર્ચ ગુજરાત સરકાર વહન કરશે, તેવો પત્ર પણ હોસ્પિટલને પાઠવી દેવામાં આવ્યો હતો. બેંગ્લુરુ ખાતે વિદિશાની લગભગ છ માસ સુધી સારવાર ચાલી. આ છ માસ દરમિયાન એક સોથી વધુ નિષ્ણાંત તબીબોની સલાહ લેવામાં આવી. ૩૦૦થી વધુ વખત ઇકો કાર્ડિઓગ્રામ કરવામાં આવ્યા. વિવિધ પરિક્ષણો કરવામાં આવ્યા. અંતે ઓપરેશનનો દિવસ નિયત કરવામાં આવ્યો. એક દિવસે વિદિશાનું ઓપરેશન કરવામાં આવ્યું. કલાકો સુધી ઓપરેશન ચાલ્યું. શરીરમાંથી હ્રદયને બહાર કાઢવામાં આવ્યું. તેના ઉપર શસ્ત્રક્રિયાઓ કરી સામાન્ય કરવામાં આવ્યું. ઓપરેશન બાદના કેટલાક દિવસો પછી વિદિશા ચેતનવંતી બની. એટલે નાયક દંપતીને રાહત થઇ હતી.

વિદ્યાબેન ભાવુક થતાં કહ્યું કે, ભગવાનની કૃપા અને તબીબોની મહેનતથી વિદિશા સાજી થઇ. નરેન્દ્રભાઇ મોદીએ અમારા જેવા સામાન્ય પરિવારની દીકરીની સારવાર માટે છેક બીજા રાજ્યમાં મોકલી. તેનો આભાર માનીએ એટલો ઓછો છે. આ વાતને આજે ૧૮ વર્ષના વહાણા વીતી ગયા. વિદિશા આજે તંદુરસ્ત છે. ધોરણ – ૧૦માં અભ્યાસ કરે છે. માતાપિતા પાસેથી પોતાની સારવારની વાતો તેમણે સાંભળી છે. નરેન્દ્રભાઇ મોદીએ કેવી રીતે તેમને મદદ કરી, તેની ખબર છે. સુરેશભાઇ નાયક અને વિદ્યાબેન નાયકને બે દિકરીઓ અને એક દીકરો છે. વિદિશા તેમાં વચેટ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સફળ અને સક્ષમ નેતૃત્વના ૨૩ વર્ષ પૂર્ણ થયા. તેમણે ગુજરાતમાં શરૂ કરેલી કલ્યાણકારી યોજનાઓ એક કિસ્સો વિદિશા છે. આવા લાખો પરિવારોની ખુશી અને સ્મીતનું કારણ જ મોદીને સેવા કરવાની શક્તિ આપે છે.

આ પણ વાંચો…‘સૌની યોજના’ થકી સૌરાષ્ટ્રના અંદાજે ૬.૫ લાખ  એકર વિસ્તારમાં પિયત તથા પીવાના પાણીનો લાભ મળ્યો

Back to top button