ટ્રેન્ડિંગધર્મનેશનલમીડિયા

ભૂત ભગાડવાના નામે મૌલવીએ દુષ્કર્મ અને ધર્મપરિવર્તનનો કર્યો પ્રયાસઃ ચોંકાવનારો કિસ્સો

Text To Speech

 ઉત્તર પ્રદેશ, 6 ઓકટોબર :  ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લામાં એક મહિલાએ એક મૌલવી પર ગંભીર આરોપ લગાવ્યા છે. મહિલાનું કહેવું છે કે પહેલા મૌલવીએ તેની છેડતી કરી. ત્યારબાદ તેના પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવ્યું હતું. મામલો બારેસર પોલીસ સ્ટેશન વિસ્તારના માટા ગામનો છે. મહિલાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મહિલા મૂળ બલિયાની છે. મહિલાનો આરોપ છે કે મૌલવીએ તેના પર દુષ્ટ આત્માઓ ભગાડવાના નામે ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું હતું. મૌલવી શાન અહેમદ માટા ગામમાં જ પોતાનો દરબાર ચલાવે છે. જ્યાં બીમાર લોકો વળગાડ માટે આવે છે. મળતી માહિતી મુજબ પીડિત મહિલાના પરિવારજનો પણ મૌલવી શાન અહેમદના દરબારમાં આવતા રહે છે.

મહિલાના પરિવાર પર મૌલવીનો ઘણો પ્રભાવ હતો. મૌલવીએ દાવો કર્યો હતો કે મહિલાને ભૂતપ્રેતનું વળગણ હતું. જે બાદ તેને માટા ગામમાં પોતના દરબારમાં સારવાર માટે બોલાવી અને તેની સાથે અશ્લીલ હરકતો કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેના પર ધર્મ પરિવર્તન કરવા દબાણ પણ કર્યું હતું. ગાઝીપુરના એએસપી અતુલ કુમાર સોનકરનું કહેવું છે કે હાલમાં યુપી પોલીસે કેસ નોંધ્યો છે અને મામલાની તપાસ કરી રહી છે, મૌલવી ગામમાંથી ફરાર છે.

પરિવારને બરબાદ કરવાની ધમકી આપી
પીડિતાએ જણાવ્યું કે તેના લગ્ન 2021માં બલિયાના એક વ્યક્તિ સાથે થયા હતા. મૌલવીએ તેના પતિને છેતર્યો. મૌલવીએ કહ્યું કે ભૂતને કારણે તેમના ઘરમાં કોઈ કામ થતું નથી. પતિના વારંવાર કહેવા પર, તે 18 માર્ચે પ્રથમ વખત માટા સ્થિત મૌલવીના દરબારમાં આવી હતી. મૌલવી તેને કોઈ બહાને રૂમની અંદર લઈ ગયા. ત્યાં તેની સાથે અશ્લીલ હરકતો કરવાનો પ્રયાસ કર્યો હતો.

જ્યારે મહિલાએ શોર કર્યો ત્યારે મૌલવીએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપીને ચૂપ કરાવી દીધી. મૌલવીએ કહ્યું કે જો તેણે ઈસ્લામ સ્વીકાર્યો નહીં તો તે તેના પરિવારનો નાશ કરી દેશે. જે બાદ કોઈક રીતે તેણે ત્યાંથી ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. જ્યારે તે ઘરે પાછી આવ્યો ત્યારે તેણે તેના માતા-પિતાને તેને આપવીતી જણાવી. જે બાદ માતા-પિતાએ તેને પોલીસમાં ફરિયાદ નોંધાવવા માટે સમજાવી હતી.

આ પણ વાંચો : SBIમાં એક વર્ષમાં આટલા હજાર લોકોની નવી ભરતી થશેઃ અરજી કરવાની કરી લો તૈયારી

Back to top button