ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભગવાનને રાજકારણથી દૂર રાખો: તિરુપતિ પ્રસાદ વિવાદ પર SCની ટિપ્પણી

  • સુપ્રિમ કોર્ટની બેંચે રાજ્ય સરકાર પર અનેક સવાલો ઉભા કર્યા

નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર: સુપ્રીમ કોર્ટમાં તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદ પર આજે સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ બી.આર.ગવઈ અને જસ્ટિસ કે.વી.વિશ્વનાથનની બેંચે રાજ્ય સરકારને ફટકાર લગાવી અને અનેક સવાલો ઉભા કર્યા. કોર્ટે કહ્યું કે, “તમારે ધાર્મિક ભાવનાઓનું સન્માન કરવું જોઈએ, ભગવાનને રાજકારણથી દૂર રાખવા જોઈએ.” ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી અને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટના પૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ વાય.વી. સુબ્બા રેડ્ડીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. સુબ્રમણ્યમ સ્વામીની અરજીમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ દ્વારા કરવામાં આવેલા આરોપોની તપાસની માંગ કરવામાં આવી છે.

 

સુપ્રિમ કોર્ટે અને અરજદારના વકીલે શું કહ્યું?

અરજદારના વકીલે કહ્યું કે, “તપાસમાં જાણવા મળ્યું કે, બાંધકામની સામગ્રી તપાસ્યા વિના રસોડામાં જતી હતી, જ્યારે સુપરવિઝન માટે જવાબદાર સિસ્ટમ હોવી જોઈએ, કારણ કે તે દેવતાનો પ્રસાદ છે, જે લોકો અને ભક્તો માટે પવિત્ર છે. જો ભગવાન પ્રશ્ન પર પ્રશ્નાર્થ ચિન્હ હોય તો તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. કોઈ પુરાવા વગર એવું નિવેદન આપવું કે પ્રસાદમાં ભેળસેળ છે, આ નિવદેન પરેશાન કરનારું છે. મોટા હોદ્દા પર બેઠેલા વ્યક્તિ શું જવાબદારી છે? આજે ધર્મ વાત છે, કાલે કઇંક બીજું હોય શકે છે.”

તે જ સમયે વકીલ મુકલ રોહતગી અને સિદ્ધાર્થ લુથરાએ સુબ્રમણ્યમ સ્વામીની અરજી પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે સ્વામી પોતે TTDના સભ્ય રહી ચૂક્યા છે. રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ મુકુલ રોહતગીએ કહ્યું કે, ઘીની તપાસમાં ખામીઓ જોવા મળી હતી, જે બાદ રાજ્ય સરકારે SITની રચના કરી છે. અમારી પાસે લેબ રિપોર્ટ છે. જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રિપોર્ટ બિલકુલ સ્પષ્ટ નથી. જો તમે પહેલા જ તપાસના આદેશ આપી દીધા હતા તો મીડિયા પાસે જવાની શું જરૂર હતી? જુલાઈમાં રિપોર્ટ આવ્યો, સપ્ટેમ્બરમાં નિવેદન આવ્યું.

તાત્કાલિક પ્રેસમાં જવાની શું જરૂર હતી?- સુપ્રિમ કોર્ટ

કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ ગવઈએ ટિપ્પણી કરી હતી કે, “ભગવાનને રાજકારણથી દૂર રાખો. જસ્ટિસ કે.વી.વિશ્વનાથને રાજ્ય સરકારના વકીલને પૂછ્યું કે, જ્યાં સુધી તમને ખાતરી ન હોય ત્યાં સુધી તમે આ અંગે લોકો સમક્ષ કેવી રીતે ગયા? તપાસનો હેતુ શું હતો?” જેના પર રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ સિદ્ધાર્થ લુથરાએ કહ્યું કે, “છેલ્લા કેટલાક વર્ષોમાં ખાનગી વિક્રેતાઓ પાસેથી ઘી ખરીદવાનું શરૂ થયું છે. ગુણવત્તા અંગે ફરિયાદો ઉઠી હતી. અમે ટેન્ડરરને કારણ બતાવો નોટિસ આપી હતી.” જસ્ટિસ ગવઈએ પૂછ્યું કે, શું જે ઘી માપદંડોને અનુરૂપ નથી તે પ્રસાદ માટે વપરાય છે? જેના પર લુથરાએ કહ્યું કે, “અમે તપાસ કરી રહ્યા છીએ.” તેના પર જસ્ટિસ ગવઈએ કહ્યું, “તો પછી તરત જ પ્રેસમાં જવાની શું જરૂર હતી? તમારે ધાર્મિક ભાવનાઓનું સન્માન કરવું જોઈએ.”

પ્રસાદમાં આ ઘીનો ઉપયોગ થતો હોવાના પુરાવા ક્યાં: SC

જસ્ટિસ વિશ્વનાથને કહ્યું કે, લાડુ બનાવવામાં આ ઘીનો ઉપયોગ થતો હોવાના પુરાવા ક્યાં છે? જેના પર વકીલ લુથરાએ કહ્યું કે, માર્ચમાં ટેન્ડર ખોલવામાં આવ્યા હતા અને એપ્રિલથી સપ્લાય શરૂ થઈ હતી. જૂન અને જુલાઈમાં સાપ્તાહિક પુરવઠો હતો. જસ્ટિસ વિશ્વનાથને કહ્યું, “કેટલા કોન્ટ્રાક્ટરો સપ્લાય કરતા હતા, શું આ ઘી મંજૂર કરવામાં આવેલા ઘી સાથે ભેળવવામાં આવ્યું છે? તે ક્યાંય સ્પષ્ટ નથી કે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે અને રિપોર્ટ જાહેર ડોમેનમાં છે, પરંતુ તપાસ હજુ બાકી છે.” એડવોકેટ સિદ્ધાર્થ લુથરાએ કહ્યું કે, એકવાર જ્યારે તે બહાર આવે કે ઉત્પાદન યોગ્ય નથી, તો બીજી ટેસ્ટ પણ કરવામાં આવે છે. તે પછી તેનું લેબમાં પરીક્ષણ કરવામાં આવે છે. 6 જુલાઈના રોજ નવો પુરવઠો આવ્યો. તેને લેબમાં મોકલવામાં આવ્યો. અમને લેબ રિપોર્ટ મળ્યો. જેમાં મંજૂર થયેલા ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.

જસ્ટિસ ગવઈએ કહ્યું કે, શું લેબએ 12 જૂનના ટેન્કર અને 20 જૂનના ટેન્કરના સેમ્પલ લીધા હતા? જસ્ટિસ વિશ્વનાથને કહ્યું કે, એકવાર તમે સપ્લાયને મંજૂર કરી દો છો, ઘી લાવવામાં આવે અને બધું એકમાં ભેળવવામાં આવે, તો તમે કેવી રીતે ઓળખશો કે કયા કોન્ટ્રાક્ટરે સપ્લાય કર્યું છે?

આ પણ જૂઓ: છૂટાછેડા માટે આવેલા યુગલને જજે ખુશ કરીને પરત કર્યાઃ જાણો કેટલા કેસ સુધાર્યા?

Back to top button