ટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગનેશનલ

દિવાળી અને છઠ્ઠપૂજામાં ઘરે જતા મુસાફરો માટે રેલવેની મોટી જાહેરાત, જાણો શું

Text To Speech

નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર : દેશમાં ટૂંક સમયમાં તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે. આગામી દિવસોમાં દુર્ગા પૂજા, દિવાળી, છઠ જેવા અનેક તહેવારો જોવા મળશે.  તહેવારોની સિઝનમાં અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરે પરત ફરે છે. દિવાળી અને છઠ દરમિયાન રેલવે સ્ટેશનો લોકોથી ખીચોખીચ ભરેલા હોય છે. તેથી, તહેવારોની આ સિઝનમાં મુસાફરોને સુવિધા આપવા માટે, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે શુક્રવારે મોટી જાહેરાત કરી છે.

108 ટ્રેનમાં જનરલ કોચમાં વધારો કરાશે

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી છે કે આગામી તહેવારોની સીઝનમાં રેલ્વેએ 108 ટ્રેનોમાં જનરલ કોચની સંખ્યામાં વધારો કર્યો છે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલ્વેએ છઠ પૂજા અને દિવાળી વિશેષ ટ્રેનો માટે 12,500 કોચ મંજૂર કર્યા છે.

1 કરોડથી વધુ મુસાફરોને સુવિધા મળશે

રેલ્વે મંત્રીએ કહ્યું કે વર્ષ 2024-25માં અત્યાર સુધીમાં કુલ 5,975 ટ્રેનોને સૂચિત કરવામાં આવી છે.  આનાથી પૂજાના ધસારામાં 1 કરોડથી વધુ મુસાફરોને ઘરે જવાની સુવિધા મળશે. તે જ સમયે, 2023-24માં તહેવારોની સિઝન દરમિયાન કુલ 4,429 વિશેષ ટ્રેનો દોડી હતી.

Back to top button