ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મુંબઈ : ધારાવીની મસ્જિદનો ગેરકાયદે ભાગ તોડવા ગયેલી BMCની ટીમનો ઘેરાવ, જૂઓ વીડિયો

Text To Speech

મુંબઈ, 21 સપ્ટેમ્બર : મુંબઈના ધારાવીમાં મહેબૂબ-એ-સુબાનિયા મસ્જિદના ગેરકાયદે ભાગને તોડી પાડવાને લઈને તણાવ ફેલાયો છે. BMCની ટીમ ગેરકાયદે ભાગ તોડવા માટે પહોંચી હતી પરંતુ ભીડે હંગામો મચાવ્યો હતો. લોકો રસ્તા પર બેસીને વિરોધ કરી રહ્યા છે. કાર્યવાહી કરવા પહોંચેલા પાલિકાના વાહનની સાથે અન્ય કેટલાક વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. સ્થિતિને જોતા મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે. ધારાવીમાં સ્થિતિ હજુ પણ તંગ છે. BMC અધિકારીઓ સાથે પોલીસ અધિકારીઓ મુસ્લિમ સમુદાયના નેતાઓ સાથે આ મામલે ચર્ચા કરી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, મુંબઈના ધારાવીમાં 90 ફૂટ રોડ પર આવેલી 25 વર્ષ જૂની સુભાનિયા મસ્જિદને BMC દ્વારા અનધિકૃત જાહેર કરવામાં આવી હતી અને તેને આજે તોડી પાડવામાં આવનાર છે. BMCના અધિકારીઓની કાર્યવાહી પહેલા જ ગત રાતથી જ મુસ્લિમ સમુદાયના લોકો રસ્તા પર આવી ગયા હતા અને આખો રસ્તો બ્લોક કરી દીધો હતો.  મુસ્લિમ સમુદાયના લોકોનું કહેવું છે કે આ મસ્જિદ ઘણી જૂની છે.

કોંગ્રેસના સાંસદ આ મુદ્દે મુખ્યમંત્રીને મળ્યા

મુસ્લિમ સમુદાયના લોકોનું કહેવું છે કે આ મસ્જિદ ઘણી જૂની છે અને તેની સામેની કાર્યવાહી ખોટી છે. મુંબઈ ઉત્તર મધ્યના સાંસદ પ્રો.વર્ષા ગાયકવાડે કહ્યું કે, મુખ્યમંત્રી એકનાથ શિંદેને તે મળ્યા અને ધારાવીની મહેબૂબ-એ-સુબાનિયા મસ્જિદને બીએમસી દ્વારા આપવામાં આવેલી ડિમોલિશન નોટિસ અંગે લોકોની લાગણીઓ વિશે તેમને જાણ કરી હતી. વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું કે તેમણે મુખ્યમંત્રી સાથે સકારાત્મક વાતચીત કરી હતી.  તેમણે કહ્યું કે તેઓ સંબંધિત અધિકારીઓ સાથે વાત કરશે અને આશ્વાસન આપ્યું કે ડિમોલિશન પ્રક્રિયા બંધ કરવામાં આવશે.

Back to top button