અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રાવેલ

ભુજ-અમદાવાદ વચ્ચે સપ્તાહમાં 6 દિવસ દોડશે નવી વંદે મેટ્રો ટ્રેન, જાણો ક્યારથી શરૂ થશે

Text To Speech

અમદાવાદ, 12 સપ્ટેમ્બર 2024 કેન્દ્ર સરકાર હવે વંદે ભારત ટ્રેનની બે નવી શ્રેણીઓ શરૂ કરવા જઈ રહી છે. રેલવે મંત્રાલયે ગુજરાતની જનતાને ખુશ ખબર આપ્યા છે. હવે ભુજ અને અમદાવાદ વચ્ચે વંદે મેટ્રો ટ્રેન શરૂ કરવામાં આવશે. વડાપ્રધાન મોદી 16 સપ્ટેમ્બરના રોજ વંદે મેટ્રોને લીલી ઝંડી બતાવશે.

વંદે મેટ્રો ટ્રેન સપ્તાહમાં 6 દિવસ દોડશે
આ વંદે મેટ્રો ટ્રેન સપ્તાહમાં 6 દિવસ દોડશે. ભુજથી ટ્રેન નં. 94802 સવારે 5.05 વાગ્યે ઉપડશે, જે સવાર 10.50 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન રવિવાર સિવાય અઠવાડિયાના છ દિવસ દોડશે. જયારે અમદાવાદથી ટ્રેન નં. 94801 સાંજે 5.30 વાગ્યે ઉપડશે અને રાત્રે 11.30 વાગ્યે ભુજ પહોંચશે, આ ટ્રેન શનિવાર સિવાય અઠવાડિયાના છ દિવસ દોડશે.

ગયા અઠવાડિયે જ ટ્રાયલ રન થયું હતું
આ ટ્રેન અંજાર, ગાંધીધામ, ભચાઉ, સામખિયાલી, હળવદ, ધ્રાંગધ્રા, વિરમગામ , ચાંદોલીયા, સાબરમતી ઉભી રહેશે. આ ટ્રેનમાં 12 એર-કન્ડિશન્ડ કોચ હશે. ગયા અઠવાડિયે અમદાવાદ-ગાંધીધામ રૂટ પર ટ્રેનનું ટ્રાયલ રન હાથ ધરવામાં આવ્યું હતું. 8મી સપ્ટેમ્બરે ટ્રાયલ રન દરમિયાન ટ્રેને અમદાવાદથી ગાંધીધામ રૂટને કવર કરવા ચાર કલાકનો સમય લીધો હતો. જયારે ગાંધીધામથી ભુજ રૂટને એક કલાકમાં કવર કર્યો હતો.

આ પણ વાંચોઃહવે ગાંધીનગર સુધી દોડશે મેટ્રો, PM મોદીના હસ્તે બીજા ફેઝનો 16 સપ્ટેમ્બરે શુભારંભ

Back to top button