ટ્રેન્ડિંગમનોરંજન

‘મિલતા હું વહા’ સિદ્ધાર્થ શુકલા અંગે વિકાસ સેઠીની પોસ્ટ વાયરલ

Text To Speech

મુંબઈ – 9 સપ્ટેમ્બર :   ટીવી જગતના જાણીતા અભિનેતા વિકાસ સેઠીનું હાર્ટ એટેક આવવાથી અવસાન થઈ ગયું છે. એક્ટરે 48 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે. પત્નીએ અવસાનની પુષ્ટિ કરી છે. વિકાસની જૂની પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. વિકાસની આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ જોઈને દરેક વ્યક્તિને આશ્ચર્ય થાય છે. વિકાસે સિદ્ધાર્થ શુક્લાના નિધન પર તેને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેના પર જે કેપ્શન લખવામાં આવ્યું હતું તેને જોઈને હવે લોકો અનેક પ્રકારની વાતો કરી રહ્યા છે. લોકો એ બાબતથી પણ હેરાન થઈ રહ્યા છે કે બંનેનું નિધન એક જ પ્રકારે થયુ છે.

 

View this post on Instagram

 

A post shared by Vikas Sethi (@vikass.sethi)

મિલતા હું વહાં…
વિકાસ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીથી દૂર હતો અને સોશિયલ મીડિયા પર પણ તે ઓછે એક્ટિવ હતો. આ વચ્ચે લોકો તેનું ઈન્સ્ટાગ્રામ શોધી રહ્યા છે. વર્ષ 2021માં 2 સપ્ટેમ્બરના રોજ સિદ્ધાર્થ શુક્લાનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન થઈ ગયુ હતું. ત્યારે વિકાસે એક ભાવુક પોસ્ટ લખી હતી- ‘જીવન એક ક્ષણમાં બદલાઈ જાય છે. ક્ષણભરમાં તમે એક વ્યક્તિમાંથી યાદ બની જાવ છો. તમારી યાદ હંમેશા સંભાળીને રાખીશ. RIP. યાર તું કહાં ગયા, રાસ્તા બોલ દે મિલતા હું વહા’.

લોકોની પ્રતિક્રિયા

હવે વિકાસનું આ કેપ્શન જોઈને લોકોને આશ્ચર્ય થઈ રહ્યું છે. એક યુઝરે લખ્યું કે, આજે તમારી લાઈન સાચી થઈ ગઈ. અન્ય એક યુઝરે લખ્યું- ચોંકાવનારી વાત છે કે સિદ્ધાર્થનું નિધન પણ સપ્ટેમ્બરમાં જ થયુ હતું અને વિકાસનું પણ સપ્ટેમ્બરમાં જ થયું. બીજી એક કોમેન્ટ છે કે, ક્યારેક આપણી વાત ભગવાન સાંભળી લે છે. તો આ જીવન એક જ વાર મળે છે અને મૃત્યુ પણ એક દિવસે થવાનું જ છે તો મૃતક પાસે સરનામું ન માગવુ જોઈએ અને નહીં તો કોન્ડોલેન્સની આ રીત છે.

આ પણ વાંચો : ફોટો ક્લિક થવાથી કેવી રીતે કપાય છે ચલણ? તેનાથી બચવાનો શું છે ઉપાય? 

Back to top button