ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

તારક મહેતા: ટપ્પુએ શો વિશે કર્યો મોટો ખુલાસો, સોનુએ લગ્ન પહેલા મંગેતર સાથે કરી બેચલર પાર્ટી

મુંબઈ, 4 સપ્ટેમ્બર: ટીવીની સુપરહિટ સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘માં ટપ્પુની ભૂમિકા ભજવનાર અભિનેતા ભવ્ય ગાંધીએ વર્ષો બાદ આ શો વિશે મોટો ખુલાસો કર્યો છે. ભવ્ય ગાંધીએ કહ્યું કે, “કાનૂની રીતે શો છોડવા માટે 3 મહિનાનો નોટિસ પિરિયડ હોય છે, પરંતુ તેણે 9 મહિના સુધી આ શોને પોતાની સેવા આપી. ઘણી દુવિધાઓ સાથે સંઘર્ષ કર્યા પછી, તે આખરે શોને અલવિદા કહેવા સક્ષમ થયો.” બીજી બાજુ આ શોમાં સોનુંની ભૂમિકા ભજવનારઅભિનેત્રી ઝીલ મહેતા 29 વર્ષની ઉંમરે દુલ્હન બનવા જઈ રહી છે, જેથી લગ્ન પહેલા ઝીલ પોતાના મંગેતર સાથે બેચલર પાર્ટી કરતી જોવા મળી છે

‘તારક મહેતા…’ની ટપ્પુ ઉર્ફે ભવ્ય ગાંધીએ શો છોડ્યો કેમ?

ટેલી ટોક સાથેની વાતચીત દરમિયાન ભવ્ય ગાંધીએ ‘તારક મહેતા…’ છોડવાનું કારણ જણાવ્યું હતું. ભવ્ય ગાંધીએ કહ્યું કે, ‘મને કહેવામાં આવ્યું હતું કે જો તમારે રહેવું હોય તો પણ અમે તમારી સાથે છીએ અને જો તમારે ન રહેવું હોય તો પણ અમે તમારી સાથે છીએ. તે સમયે હું શું વિચારતો હતો તે મને યાદ નથી, પરંતુ મને એટલું યાદ છે કે, હું ડરી ગયો હતો અને મારા મનમાં એક પ્રશ્ન હતો જે મને પરેશાન કરી રહ્યો હતો. મેં શો છોડ્યો ત્યાં સુધી મેં કાનૂની ફોર્મેટને અનુસરી.”

 

 

View this post on Instagram

 

A post shared by Bhavya Vinod Gandhi (@bhavyagandhi97)

ભવ્ય ગાંધીએ આગળ કહ્યું કે, “જેમ કે 3 મહિનાનો નોટિસ પિરિયડ હોય છે, પરંતુ મેં 9 મહિના સુધી આ શોને પોતાની સેવા આપી. એ પછી નક્કી થયું કે હવે મારે આ શોને વિદાય આપવી છે.” 3 મહિનાને બદલે 9 મહિના માટે નોટિસ આપવામાં આવી હતી, જેના પર ભવ્ય ગાંધીએ કહ્યું કે, પ્રોડ્યુસરે તેને શો છોડવા માટે કહ્યું હતું અને બધા તેને સમજાવી પણ રહ્યા હતા અને આખરે તેણે નક્કી પણ કર્યું કે તે શો છોડી દેશે અને પોતાની ઓળખ બનાવશે, પોતાનું કંઈક કરશે અને ઘણી દુવિધાઓ સાથે સંઘર્ષ કર્યા પછી, આખરે શોને અલવિદા કહેવા સક્ષમ થયો.

સોનુએ મંગેતર સાથે બેચલર પાર્ટી

તારક મહેતાની ટપ્પુ સેનાનો મહત્વનો ભાગ રહેલ ઝિલ હવે જીવનની નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહી છે.  ટૂંક સમયમાં તે તેના મંગેતર આદિત્ય સાથે લગ્ન કરવા જઈ રહી છે. ત્યારે થોડા દિવસો પહેલા, ઝિલ મહેતાએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની નવીનતમ તસવીરો શેર કરી હતી. આ ફોટોઝમાં તે પોતાના ગળામાં બ્રાઈડ ટુ બી’ઝ સૅશ પહેરેલી જોવા મળી રહી છે. જે એ વાતની પુષ્ટિ કરે છે કે, ટીવી એક્ટ્રેસના લગ્ન માટે બહુ ઓછો સમય બચ્યો છે. આ સિવાય અન્ય ફોટો જોઈને કહી શકાય કે તે હાલમાં દરિયા કિનારે તેના મંગેતર સાથે બેચલર પાર્ટી માણી રહી છે. ઝીલના આ ન જોયેલા ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને ચાહકો તેમની તસવીરોને પસંદ કરી રહ્યા છે.

 

 

View this post on Instagram

 

A post shared by Jheel Mehta (@jheelmehta_)

 

 

View this post on Instagram

 

A post shared by Jheel Mehta (@jheelmehta_)

‘તારક મહેતા…’નો શો કોણે-કોણે છોડ્યો?

વર્ષ 2008માં શરૂ થયેલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હજુ પણ SAB ટીવી પર પ્રસારિત થઈ રહી છે. દયાબેન એટલે કે દિશા વાકાણી હજુ સુધી શોમાં આવી નથી. આ સિવાય ડૉ. હાથી, સોઢી, અંજલિ, તારક મહેતા, સોનુ, નટ્ટુ કાકા, બાવરી, મિસિસ સોઢી અને ગોલી જેવા લોકપ્રિય પાત્રોએ શો છોડી દીધો અને દરેકને નવા ચહેરા મળ્યા છે. હજુ સુધી કોઈ અભિનેત્રી દયાબેનને રિપ્લેસ કરી શકી નથી કે ન તો જૂની દયાબેન પરત આવી છે.

આ પણ જૂઓ: કરીના કપૂરની સામે શાહિદનો ઉલ્લેખ થયો, બેબોની પ્રતિક્રિયા જોઈને લોકોએ તાળીઓથી વધાવી લીધી

Back to top button