ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

જન્માષ્ટમી નિમિતે જગતમંદિર દ્વારકામાં ભગવાનના દર્શનના સમયમાં ફેરફાર કરાયો

  • ભગવાનના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર
  • શ્રીજીની મંગલા આરતી દર્શન સવારે ૬:૦૦ કલાકે
  • શ્રીજીની શ્રૃંગાર આરતી સવારે ૧૧:૦૦ કલાકે

જન્માષ્ટમી નિમિતે જગતમંદિર દ્વારકામાં ભગવાનના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. દ્વારકાધીશ જગત મંદિર ખાતે ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે. ત્યારે જન્માષ્ટમીના તહેવાર દરમિયાન જગત મંદિર દ્વારકામાં ભગવાનના દર્શનના સમયમાં શ્રીજીની મંગલા આરતી દર્શન સવારે 6 કલાકે થશે.

આ પણ વાંચો: ગુજરાતમાં આજથી વરસાદી માહોલ જામશે, જાણો કયા થશે મેઘમહેર 

ભગવાનના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર

જન્માષ્ટમીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે જન્માષ્ટ્રીના પર્વના દિવસે મંદિર ટ્રસ્ટ દ્રારા ભગવાનના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં શ્રીજીના દર્શનનાં સમયનો સવારનો ક્રમ :- તારીખ 26ના સોમવારના રોજ નીચે પ્રમાણે રહેશે.

શ્રીજીની મંગલા આરતી દર્શન સવારે ૬:૦૦ કલાકે

શ્રીજીની મંગલા આરતી દર્શન સવારે ૬:૦૦ કલાકે તેમજ મંગલા દર્શન સવારે ૬:૦૦ થી ૮:00 તથા શ્રીજીના ખુલ્લે પડદે સ્નાન દર્શન સવારે ૮:૦૦ થી ૯:00 અને દર્શન બંધ સવારે ૯:૦૦ થી ૯:૩૦ તેમજ ફરી દર્શન ૯:૩૦ થી ૧૦:૦૦ કલાકે અને શ્રીજીને સ્નાન ભોગ (દર્શન બંધ) સવારે ૧૦:૦૦ થી ૧૦:૧૫ તથા દર્શન ૧૦:૧૫ થી ૧૦:૩૦ તેમજ શ્રીજીને શ્રૃંગાર ભોગ (દર્શન બંધ) સવારે ૧૦:૩૦ થી ૧૦:૪૫ કલાકે અને શ્રીજીની શ્રૃંગાર આરતી સવારે ૧૧:૦૦ કલાકે તથા શ્રીજીનો ગ્વાલ ભોગ (દર્શન બંધ) ૧૧:૧૫ થી ૧૧:૨૫ તેમજ દર્શન ૧૧:૨૫ થી ૧૨:૦૦ કરી શકાશે.

શ્રીજીને રાજભોગ (દર્શન બંધ) ૧૨:૦૦ થી ૧૨:૩૦

શ્રીજીને રાજભોગ (દર્શન બંધ) ૧૨:૦૦ થી ૧૨:૩૦ તેમજ દર્શન ૧૨:૩૦ થી ૧:૦૦ તથા અનોસર (મંદિર બંધ) ૧:૦૦ થી ૫:૦૦ કલાક સુધી બપોરે અને શ્રીજીના દર્શનનાં સમયનો સાંજનો ક્રમ :- તારીખ 26ના સોમવારના રોજ ઉત્થાપન દર્શન ૫:૦૦ કલાકે તેમજ દર્શન ૫:૦૦ થી ૫:૩૦ અને શ્રીજીને ઉત્થાપન ભોગ (દર્શન બંધ) ૫:૩૦ થી ૫:૪૫ તથા દર્શન ૫:૪૫ થી ૭:૧૫ તેમજ શ્રીજીને સંધ્યા ભોગ (દર્શન બંધ) ૭:૧૫ થી ૭:૩૦ અને શ્રીજીની સંધ્યા આરતી દર્શન ૭:૩૦ થી ૮:00 તથા શ્રીજીને શયન ભોગ (દર્શન બંધ) ૮:૦૦ થી ૮:૧૦ તથા શ્રીજીની શયન આરતી દર્શન ૮:૩૦ થી ૯:૦૦ અને શ્રીજી શયન અનોસર (દર્શન બંધ) રાત્રે ૯:૦૦ થી ૧૨:૦૦ સુધી તેમજ અનોસર (મંદિર બંધ) ૯:૦૦ થી ૧૨:૦૦ કલાક સુધી તથા શ્રીજીના જન્મોત્સવ દર્શન સમય રાત્રે તથા શ્રીજી જન્મોત્સવની આરતી દર્શન રાત્રે ૧૨:૦૦ કલાકે (દર્શન ૧૨:૦૦ થી ૨:૩૦ સુધી) તેમજ શ્રીજી શયન (મંદિર /દર્શન બંધ) રાત્રે ૦૨:૩૦ કલાકે.

શ્રીજી શયન રાત્રે ૮:૩૦ થી ૯:૩૦ કલાકે (દર્શન / મંદિર બંધ)

તા.૨૭/૦૮/૨૦૨૪ —: શ્રીજીના દર્શન સવારે જેમાં શ્રીજીના પારણા ઉત્સવ સવારે ૦૭:૦૦ થી ૧૦:૩૦ દર્શન અનોસર (દર્શન બંધ) ૧૦:૩૦ કલાકે તથા સવારના ૧૦:૩૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી(દર્શન) મંદિર બંધ રહેશે. શ્રીજીના દર્શનનાં સમયનો સાંજનો ક્રમ :- તારીખ 27 મંગળવાર ઉત્થાપન દર્શન ૫:૦૦ કલાકે તથા નિત્યક્રમ મુજબ દર્શન શ્રીજીની બંધ પડદે અભિષેક પૂજા ૫:૦૦ થી ૬:00 કલાકે (દર્શન બંધ રહેશે) તથા ૬:૦૦ થી ૭:૦૦ કલાકે શ્રીજીના દર્શન અને ૭:૦૦ થી ૭:૩૦ કલાકે તથા શ્રીજીની સંધ્યા આરતી દર્શન ૭:૩૦ કલાકે અને શ્રીજીને શયન ભોગ ૮:૧૦ કલાકે તથા શ્રીજીની શયન આરતી દર્શન શ્રીજી શયન રાત્રે ૮:૩૦ થી ૯:૩૦ કલાકે (દર્શન / મંદિર બંધ).

Back to top button