ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બંગાળમાં મધરાતે બની બાંગ્લાદેશ જેવી સ્થિતિ, RG કર મેડિકલ કોલેજમાં ટોળા દ્વારા તોડફોડ

  • ટોળાએ હોસ્પિટલની બહારના વિરોધ સ્ટેજ અને ત્યાં પાર્ક કરેલા વાહનોને પણ તોડી નાખ્યા હતા

કોલકાતા, 15 ઓગસ્ટ: પશ્ચિમ બંગાળમાં મધરાતે બાંગ્લાદેશ જેવી સ્થિતિ બની હતી. કોલકાતામાં RG કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની બહાર મધરાતે ભારે હોબાળો થયો હતો. અહીં ગુસ્સે ભરાયેલા ટોળાએ હોસ્પિટલમાં ઘુસીને વ્યાપક તોડફોડ કરી હતી. ટોળાએ હોસ્પિટલની બહારના વિરોધ સ્ટેજ અને ત્યાં પાર્ક કરેલા વાહનોને પણ તોડી નાખ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં હાજર જાહેર સંપત્તિને પણ નુકસાન થયું છે. કોલકાતામાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યા કેસમાં ન્યાયની માંગ સાથે હડતાળ પર બેઠેલા ડૉક્ટરોનું પ્લેટફોર્મ મધરાતે તોડી પાડવામાં આવ્યું હતું. અચાનક બહારથી વિરોધ સ્થળ પર પહોંચેલા ટોળાએ હોબાળો મચાવ્યો હતો અને હોસ્પિટલમાં પણ હોબાળો મચાવ્યો હતો.

પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા

જે સમયે ટોળાએ તોડફોડ અને હંગામો મચાવ્યો, તે સમયે ત્યાં પોલીસનો બહુ ઓછો બંદોબસ્ત હતો. બાદમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા અન્ય સ્થળોએથી પોલીસ બોલાવવામાં આવી હતી. પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ પણ છોડ્યા. તે જ સમયે, RG કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડૉક્ટરે કહ્યું કે, લોકોનું એક મોટું ગ્રુપ કેમ્પસની બહાર વિરોધ કરી રહ્યું હતું. તે લોકો સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. બાદમાં ભીડ ઉશ્કેરાઈ ગઈ હતી અને તોડફોડ શરૂ કરી હતી.

ગુંડાગીરી અને બર્બરતાની તમામ હદ વટાવી ગઈ

TMC સાંસદ અભિષેક બેનર્જીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. અભિષેક બેનર્જીએ કહ્યું કે, RG કર હોસ્પિટલમાં ગુંડાગર્દી અને તોડફોડ એ તમામ હદ વટાવી દીધી છે. આવી સ્થિતિમાં, એક જનપ્રતિનિધિ તરીકે, મેં કોલકાતા પોલીસ કમિશનર સાથે વાત કરી અને વિનંતી કરી કે, હિંસા માટે જવાબદાર દરેક વ્યક્તિની ઓળખ કરવામાં આવે. તેને આગામી 24 કલાકની અંદર કાયદાના દાયરામાં લાવવા જોઈએ, પછી ભલે તે કોઈપણ રાજકીય પક્ષ સાથે સંકળાયેલો હોય.

જ્યાં TMCના સાંસદો આ મામલે કાર્યવાહીની વાત કરી રહ્યા છે તો બીજી તરફ ભાજપે મમતા સરકાર પર નિશાન સાધ્યું છે. ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ આરોપ લગાવ્યો કે, મમતા બેનરજીએ આરજી કર મેડિકલ કોલેજમાં ચાલી રહેલી બિનરાજકીય વિરોધ રેલીમાં તેમના ગુંડાઓને મોકલ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, તેઓએ વિરોધીઓ જેવા ગુંડાઓ મોકલ્યા જેઓ ભીડમાં જોડાયા અને કોલેજમાં અશાંતિ ફેલાવી. અધિકારીએ આરોપ લગાવ્યો કે, પોલીસે દેખાવકારોને રસ્તો આપ્યો જેથી તેઓ પુરાવાનો નાશ કરી શકે અને CBIને તે મળી ન શકે.

આ પણ જૂઓ: ભારતના ચાર પાડોશી દેશોમાં એક સરખાં કાવતરાં અને એક સરખાં પરિણામ? આવું કેમ!

Back to top button