ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

સંજય દત્ત કેમ થયો ગુસ્સે? કહ્યું- ‘પહેલા વિઝા આપ્યા તો હવે કેમ કર્યા રિજેક્ટ?’

દિલ્હી, 09 ઓગસ્ટ: સંજય દત્તે તેના યુકેના વિઝા કેન્સલ થયા હોવાની અટકળો પર પ્રતિક્રિયા આપી છે. વિઝા રિજેક્ટ થયા બાદ તેને અજય દેવગણની આગામી ફિલ્મ ‘સન ઓફ સરદાર 2’ ગુમાવવી પડી હતી. જો કે હવે આ અંગે નવા અહેવાલો પ્રકાશમાં આવ્યા છે. તે ખૂબ જ આઘાતજનક છે સંજય દત્તે પહેલીવાર પોતાના વિઝા કેન્સલ થવા અંગે વાત કરી હતી. તેમણે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે કોઈ આવું કેવી રીતે કરી શકે? તેમણે સ્વીકાર્યું કે તેમના વિઝા રદ કરવામાં આવ્યા છે, જ્યારે તેણે કાયદાના તમામ નિયમો અને આદેશોનું પાલન કર્યું હતું. તેમ છતાં તેના વિઝા રિજેક્ટ કરવામાં આવ્યા છે.

યુકે સત્તાવાળાઓએ જે કર્યું તે યોગ્ય નથી: સંજય દત્ત

ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા સમાચાર મુજબ સંજય દત્તે યુકેના વિઝા રિજેક્ટ થવાની વાતો પર પોતાની પ્રતિક્રિયા આપી છે. સુપરસ્ટારે કહ્યું કે, ‘યુકે સત્તાવાળાઓએ જે કર્યું તે યોગ્ય નથી. શરૂઆતમાં, તેઓએ મને વિઝા આપ્યા અને ત્યાં બધું નક્કી પણ થઈ ગયું હતું. એક મહિના પછી તેમણે મારા વિઝા રદ કર્યા. મેં તેમને તમામ જરૂરી દસ્તાવેજો આપ્યા છતાં તેમણે મારા વિઝા રદ કરી નાખ્યા. તો શા માટે તેઓએ પહેવા વિઝા આપ્યા અને પછી મહિના પછી તેમને તેમના કાયદા યાદ આવ્યા?’

સંજય દત્તે ખુલાસો કર્યો કે તેમણે એક મહિના પહેલા જ તેમના વિઝા સ્વીકાર્યા હતા, ત્યાર બાદ તેમણે તમામ બુકિંગ પણ કરી લીધા હતા, પણ પછીથી તેમના વિઝા રદ કરી દેવામાં આવ્યા. વાતચીતમાં આગળ જ્યારે સંજય દત્તને ફિલ્મ ‘સન ઓફ સરદાર 2’માં તેમની ખાસ ભૂમિકા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, ‘મને આ વિશે ખબર નથી’. તે આગળ કહે છે, ‘મને નથી લાગતું કે હું કંઈપણ ચૂકી રહ્યો છું. જોકે, તેઓએ (યુકેના અધિકારીઓ) જે કર્યું છે તે ખોટું છે. હું કાયદાનું પાલન કરતો નાગરિક છું અને દરેક દેશના કાયદાનું સન્માન કરું છું. હજુ પણ હું સમજી શકતો નથી, કે આ લોકોએ આવું કેમ કર્યું.

એવું તો શું કારણ હતું તેમના વિઝા રદ કરાવામાં આવ્યા?

સંજય દત્તના વિઝા રિજેક્ટ થવા પાછળના કારણની વાર્તા ઘણી જૂની છે. આ મામલો 31 વર્ષ જૂના કેસ સાથે જોડાયેલો છે. તમને યાદ હશે કે એપ્રિલ 1993માં સંજયની ટાડા અને આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેને 1993ના મુંબઈ બોમ્બ વિસ્ફોટોમાં અન્ય આરોપીઓ પાસેથી ખરીદેલા ગેરકાયદેસર હથિયારો રાખવા બદલ આર્મ્સ એક્ટના ઉલ્લંઘન માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તેને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. માર્ચ 2013માં સુપ્રીમ કોર્ટે તેમની પાંચ વર્ષની સજાને યથાવત રાખી હતી અને ઘણી વખત જામીન મળ્યા બાદ આખરે 2016માં તેમણે જેલની મુદત પૂરી કરી હતી. આ દરમિયાન સંજય દત્ત પર ક્યાંય પણ બહાર જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. તેના વિઝા અહીંથી રદ કરવામાં આવ્યા હતા, જેના કારણે સંજય દત્તે પાછળથી ઘણી વખત યુકેના વિઝા માટે અરજી કરી હતી.

આ પણ વાંચો: મહેન્દ્ર ધોનીના સાળાને ડેટ કરે છે કૃતિ સેનન, જલદી જ પ્રભુતામાં પગલાં પાડશે?

Back to top button